ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આદરણીય માતાજી હીરા બાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે.

માતા એ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેને ગુમાવવાનું દુઃખ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે.

પરિવારના ઉછેર માટે હીરા બાએ જે સંઘર્ષનો સામનો કરવો પડ્યો તે બધા માટે એક આદર્શ છે, તેમનું બલિદાનભર્યું જીવન હંમેશા આપણી સ્મૃતિમાં રહેશે.

આ દુખની ઘડીમાં આખો દેશ પ્રધાનમંત્રી મોદી અને તેમના પરિવાર સાથે ઉભો છે, કરોડો લોકોની પ્રાર્થના તેમની સાથે છે.

प्रविष्टि तिथि: 30 DEC 2022 9:35AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આદરણીય માતાજી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. માતા એ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેને ગુમાવવાનું દુઃખ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે હીરા બાએ પરિવારના ભરણપોષણ માટે જે સંઘર્ષનો સામનો કરવો પડ્યો તે બધા માટે આદર્શ છે. તેમનું બલિદાનથી ભર્યું જીવન હંમેશા આપણી સ્મૃતિમાં રહેશે. દુઃખની આ ઘડીમાં સમગ્ર દેશ પ્રધાનમંત્રી મોદી અને તેમના પરિવાર સાથે ઊભો છે. કરોડો લોકોની પ્રાર્થના તેમની સાથે છે. ઓમ શાંતિ

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1887458) आगंतुक पटल : 283
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil , Telugu