પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં એક જાહેર સભામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પોસ્ટેડ ઓન: 29 DEC 2022 10:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક જાહેર સભામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"નેલ્લોર, એપીમાં એક જાહેર સભામાં દુર્ઘટનાથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. PMNRF તરફથી દરેક મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1887224) મુલાકાતી સંખ્યા : 216