પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રીમતી મુક્તા તિલકનાં નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 22 DEC 2022 9:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુણેના ભૂતપૂર્વ મેયર અને મહારાષ્ટ્રના ધારાસભ્ય શ્રીમતી મુક્તા તિલકનાં નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો..

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રીમતી મુક્તા તિલકજીએ ખંતથી સમાજની સેવા કરી. તેમણે લોકો તરફી મુદ્દાઓ ઉઠાવીને એક છાપ ઊભી કરી અને પુણેના મેયર તરીકેનો નોંધપાત્ર કાર્યકાળ રહ્યો. ભાજપ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા હંમેશા કાર્યકર્તાઓ દ્વારા જાળવી રખાશે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

YP/GP/NP



(Release ID: 1885898) Visitor Counter : 166