પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિજય દિવસ પર 1971ના યુદ્ધમાં વિજય માટે સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 16 DEC 2022 11:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસરે 1971ના યુદ્ધમાં ભારતે અસાધારણ જીત હાંસલ કરી તે સુનિશ્ચિત કરનારા તમામ બહાદુર સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું;

""વિજય દિવસ પર, હું તે તમામ બહાદુર સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે 1971ના યુધ્ધમાં ભારતની અસાધારણ જીત સુનિશ્ચિત કરી હતી. દેશને સુરક્ષિત અને સલામત રાખવામાં તેમની ભૂમિકા માટે આપણું રાષ્ટ્ર હંમેશા સશસ્ત્ર દળોનું ઋણી રહેશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1884043) Visitor Counter : 154