પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ મોરબીમાં દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી

Posted On: 30 OCT 2022 7:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં બનેલી દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. શ્રી મોદીએ બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમો એકત્ર કરવાની માંગ કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વટ કર્યું;

"PM @narendramodi એ મોરબીમાં દુર્ઘટના અંગે ગુજરાતના CM @Bhupendrapbjp અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમો એકત્ર કરવાની માંગ કરી છે. તેમણે પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા જણાવ્યું છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે. "

YP/GP/JD



(Release ID: 1872068) Visitor Counter : 174