પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ સંગીતનાં સાધનોની ભારતની નિકાસમાં વૃદ્ધિની પ્રશંસા કરી

Posted On: 26 OCT 2022 9:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંગીતનાં સાધનોની ભારતની નિકાસમાં થયેલ વૃદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. 2013ના સમાન સમયગાળાની સરખામણીએ એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં ભારતની સંગીતનાં સાધનોની નિકાસ વધીને 3.5 ગણીથી વધુ થઈ હતી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આ પ્રોત્સાહક છે. વિશ્વભરમાં ભારતીય સંગીતની લોકપ્રિયતા સાથે, આ ક્ષેત્રમાં આગળ વધવાની મોટી તક છે."

YP/GP/JD



(Release ID: 1871092) Visitor Counter : 163