પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ જો બિડેનને વાવાઝોડા ઇયાનને લીધે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો

Posted On: 02 OCT 2022 9:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ, જો બિડેન પ્રત્યે વાવાઝોડા ઇયાનને લીધે થયેલી અમૂલ્ય જાનહાનિ અને વિનાશ માટે નિષ્ઠાપૂર્વક સંવેદના અને હૃદયપૂર્વકની સાંત્વના વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"@POTUS @JoeBiden પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક સંવેદના અને વાવાઝોડા ઇયાનને કારણે થયેલી અમૂલ્ય જાનહાની અને વિનાશ બદલ હૃદયપૂર્વકની સાંત્વના. અમારા વિચારો આ મુશ્કેલ સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સના લોકો સાથે છે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864338) Visitor Counter : 133