રેલવે મંત્રાલય
ટ્રેનમાં મુસાફરી કરતા બાળકો માટે ટિકિટ બુકિંગ સંબંધિત નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
મુસાફરો માટે 5 વર્ષથી નીચેના બાળકો માટે ટિકિટ ખરીદવી અને બર્થ બુક કરવી તે વૈકલ્પિક છે
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મફત મુસાફરીની મંજૂરી છે, જો કોઈ બર્થ બુક કરાવી નથી
प्रविष्टि तिथि:
17 AUG 2022 2:02PM by PIB Ahmedabad
તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરતા બાળકો માટે ટિકિટ બુકિંગના સંદર્ભમાં નિયમમાં ફેરફાર કર્યો છે. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે એકથી ચાર વર્ષ સુધીના બાળકોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી પડશે.
આ સમાચાર અને મીડિયા અહેવાલો ભ્રામક છે. જણાવવામાં આવે છે કે ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરતા બાળકો માટે ટિકિટ બુકિંગના સંદર્ભમાં કોઈ ફેરફાર કર્યા નથી. મુસાફરોની માંગ પર, તેમને ટિકિટ ખરીદવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને જો તેઓ ઇચ્છે તો તેમના 5 વર્ષથી ઓછી વયના બાળક માટે બર્થ બુક કરાવી શકે છે. અને જો તેઓને અલગ બર્થ ન જોઈતી હોય, તો તે ફ્રી છે, જેમ કે તે પહેલા હતી.
રેલ્વે મંત્રાલયના 06.03.2020 ના એક પરિપત્ર જણાવે છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફત લઈ જવામાં આવશે. જો કે, અલગ બર્થ અથવા સીટ (ચેર કારમાં) આપવામાં આવશે નહીં. તેથી કોઈ પણ ટિકિટ ખરીદવાની જરૂર નથી, જો કે અલગ બર્થનો દાવો કરવામાં આવ્યો ન હોય. જો કે, જો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વૈચ્છિક ધોરણે બર્થ/સીટ માંગવામાં આવશે તો સંપૂર્ણ પુખ્ત ભાડું વસૂલવામાં આવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1852580)
आगंतुक पटल : 763
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam