પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના બુરહાનપુરના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 22 JUL 2022 9:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુરહાનપુર, મધ્યપ્રદેશના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

જલ શક્તિના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

“આ નોંધપાત્ર સિદ્ધિ માટે મારી બહેનો અને બુરહાનપુરના ભાઈઓને અભિનંદન. શિવરાજ સિંહ ચૌહાણ જીના નેતૃત્વમાં જેજેએમ ટીમ અને એમપી સરકાર દ્વારા લોકોમાં સામૂહિક ભાવના અને મિશન મોડ પ્રયાસો વિના આ શક્ય બન્યું ન હોત.

SD/GP/JD



(Release ID: 1844064) Visitor Counter : 168