પ્રધાનમંત્રીનું કાર્યાલય

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ અકસ્માતથી પીએમ દુઃખી

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 04 JUL 2022 11:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક દુ:ખદ બસ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ની મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF) માંથી રૂ. 50,000 એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.

center>

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ દુર્ઘટના હ્રદયદ્રાવક છે. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઈજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે: પીએમ @narendramodi "

"પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશમાં દુ:ખદ બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેક 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મંજૂર કર્યા છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. "

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839028) Visitor Counter : 184