પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ 'સ્વસ્થ ભારતના 8 વર્ષ'ની વિગતો શેર કરી


"દરેક માટે આરોગ્ય એ નવા ભારતની પ્રતિજ્ઞા છે"

"આવનારા વર્ષો એવા લોકોના હશે જેમણે હેલ્થકેરમાં રોકાણ કર્યું છે"

Posted On: 08 JUN 2022 1:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં હેલ્થકેર સેક્ટરને મજબૂત કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો શેર કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું: જન-જનનું સ્વસ્થ જીવન ન્યૂ ઈન્ડિયાનો દ્રઢ સંકલ્પ છે. આયુષ્માન ભારતથી લઈને જન ઔષધિ કેન્દ્ર સુધી અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને મફત રસીકરણ સુધી દેશે જે માર્ગ કંડાર્યો છે તે આજે સમગ્ર દુનિયા માટે એક ઉદાહરણ સમાન છે.

#8YearsOfHealthyIndia"

આવનારા વર્ષો એવા લોકોના હશે જેમણે હેલ્થકેરમાં રોકાણ કર્યું છે.

ભારતમાં હેલ્થકેર સેક્ટરને મજબૂત કરવા માટે અમારી સરકારે જે કામ કર્યું છે તેના પર મને ગર્વ છે. #8YearsOfHealthyIndia"

"હેલ્થકેર અમારા મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક છે. છેલ્લાં 8 વર્ષ આરોગ્ય માળખામાં વધારો કરવા, દરેક ભારતીય માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા અને આ ક્ષેત્ર સાથે ટેક્નોલોજીને એકીકૃત કરવા વિશે છે. #8YearsOfHealthyIndia"

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1832069) Visitor Counter : 159