પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તેલંગાણામાં અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
Posted On:
09 MAY 2022 9:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં થયેલા અકસ્માતને કારણે જીવ ગુમાવવાથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઈજાગ્રસ્તો સાથે પ્રાર્થના. PMNRF તરફથી મૃતકોના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ આપવામાં આવશે. ઘાયલોને સારવાર માટે 50,000 રૂપિયા આપવામાં આવશેઃ પીએમ મોદી"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1823777)
Visitor Counter : 229
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam