પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાણીતા ઓડિયા સંગીતકાર અને ગાયક પ્રફુલ્લ કરના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 18 APR 2022 9:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઓડિયા સંગીતકાર અને ગાયક પ્રફુલ્લ કરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ કહ્યું છે કે પ્રફુલ્લ કરજીને ઓડિયા સંસ્કૃતિ અને સંગીતમાં તેમના અગ્રગણ્ય યોગદાન માટે યાદ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"શ્રી પ્રફુલ્લ કરજીના નિધનથી વ્યથિત છું. તેમને ઓડિયા સંસ્કૃતિ અને સંગીતમાં તેમના અગ્રગણ્ય યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેઓ બહુમુખી વ્યક્તિત્વથી આશીર્વાદ પામ્યા હતા અને તેમની રચનાત્મકતા તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1817653) Visitor Counter : 209