પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ શ્રદ્ધાળુઓને ગુજરાતના અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા વિનંતી કરી

Posted On: 08 APR 2022 1:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને ગુજરાતમાં અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા વિનંતી કરી છે. તેમણે માહિતી આપી હતી કે આજે સાંજે 7 વાગ્યાથી 51 શક્તિપીઠોનો પરિક્રમા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. સાઉન્ડ અને લાઈટ શોમાં આપણા પુરાણોનું પ્રદર્શન કરવામાં આવશે.

એક ટ્વીટમાં,પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“ગુજરાતના અંબાજી તીર્થધામમાં શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ શુભ અવસર આવ્યો છે. આજે સાંજે 7 વાગ્યાથી અહીં 51 શક્તિપીઠોનો પરિક્રમા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, જેમાં આપણા પુરાણોની આકર્ષક રજૂઆત સાથે સંકળાયેલો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ સામેલ છે. મારો આગ્રહ છે કે આપ સૌ આ ભવ્ય અનુષ્ઠાનના સહભાગી બનો.”

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1814814) Visitor Counter : 189