પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ એસએફ રોડ્રિગ્સના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 04 MAR 2022 7:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ એસ એફ રોડ્રિગ્સના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"જનરલ એસ એફ રોડ્રિગ્ઝના નિધનથી દુઃખી છું. રાષ્ટ્ર તેમની અસાધારણ સેવા અને ભારતને મજબૂત બનાવવાના યોગદાન માટે તેમનું ઋણી રહેશે. તેમના ઊંડા વ્યૂહાત્મક જ્ઞાન માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. RIP."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1803057) Visitor Counter : 176