પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાણીતા ઉદ્યોગપતિ શ્રી રાહુલ બજાજના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 12 FEB 2022 6:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઉદ્યોગપતિ શ્રી રાહુલ બજાજના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી રાહુલ બજાજજીને વાણિજ્ય અને ઉદ્યોગની દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે યાદ કરવામાં આવશે. વ્યવસાય ઉપરાંત, તેઓ સમુદાય સેવા પ્રત્યે ઉત્સાહી હતા અને એક મહાન વાર્તાલાપવાદી હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. "

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1797970) Visitor Counter : 191