પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ઝારખંડના પાકુડમાં બસ દુર્ઘટનાથી શોકગ્રસ્ત થયા


પીડિતો માટે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય મંજૂર

Posted On: 05 JAN 2022 8:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનામાં થયેલા લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.

આ અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યા એ દરેક વ્યક્તિના નજીકના પરિજન માટે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે ઘાયલોને રૂ. 50000 આપવામાં આવશે એમ પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પીએમઓએ કહ્યું;
“હું ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ ક્ષણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું. PM @narendramodi”
“પ્રત્યેક પીડિતને પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય રૂ. 2 લાખ આપવામાં આવશે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1787816) Visitor Counter : 182