પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ રસીકરણના 100% પ્રથમ ડોઝ માટે દેવભૂમિના લોકોને અભિનંદન પાઠવ્યા

Posted On: 18 OCT 2021 2:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18+ વયજૂથના લોકો માટે કોવિડ -19 રસીકરણના 100% પ્રથમ ડોઝ માટે દેવભૂમિના લોકોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ઉત્તરાખંડની આ સિદ્ધિ દેશની કોવિડ -19 સામેની લડાઈમાં ખૂબ મહત્વની છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"દેવભૂમિના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. કોવિડ સામે દેશની લડાઈમાં ઉત્તરાખંડની આ સિદ્ધિ ખૂબ મહત્વની છે. મને વિશ્વાસ છે કે આપણું રસીકરણ અભિયાન વૈશ્વિક મહામારી સામે લડવામાં સૌથી અસરકારક સાબિત થશે અને જેમાં લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764668) Visitor Counter : 227