પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સર્બાનંદ સોનોવાલ અને ડૉ.એલ મુરુગનને રાજ્યસભામાં ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 28 SEP 2021 11:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રી સહયોગીઓ શ્રી સર્બાનંદ સોનોવાલ અને ડૉ. એલ મુરુગનને અનુક્રમે આસામ અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"મારા મંત્રી સહકર્મચારીઓ, શ્રી @sarbanandsonwal જી અને શ્રી @Murugan_MoS જીને અનુક્રમે આસામ અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટાવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ બનાવશે અને અમારા લોકહિતના એજન્ડાને આગળ વધારશે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1758822) Visitor Counter : 243