પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ અંગે ચર્ચા કરી

Posted On: 26 SEP 2021 3:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય એસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી અને ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ને ધ્યાનમાં રાખીને ઉત્પન્ન થયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને કેન્દ્રની તરફથી દરેક શક્ય મદદનું આશ્વાસન પણ આપ્યું છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી @ysjagan સાથે વાતચીત કરી અને ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ને ધ્યાનમાં રાખીને ઉત્પન્ન થયેલી સ્થિતિનો તાગ મેળવ્યો. કેન્દ્રની તરફથી દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું છે. હું સૌની સુરક્ષા અને ખુશાલી માટે પ્રાર્થના કરૂં છું.’

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

 



(Release ID: 1758338) Visitor Counter : 259