પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એન્જિનિયર્સ ડે પર એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી


શ્રી એમ. વિશ્વેશ્વરાયની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 15 SEP 2021 10:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ મહેનતુ ઇજનેરોને એન્જિનિયર્સ દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે શ્રી એમ. વિશ્વેશ્વરાયને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સિદ્ધિઓને યાદ કરી.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"તમામ મહેનતુ ઇજનેરોને #EngineersDay પર શુભેચ્છાઓ. આપણી દુનિયાને વધુ સારી અને તકનીકી રીતે અદ્યતન બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા બદલ તેમનો આભાર માનવા માટે કોઈ શબ્દો પર્યાપ્ત નથી. હું ઉલ્લેખનીય શ્રી એમ. વિશ્વેશ્વરાયને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની સિદ્ધિઓને યાદ કરું છું."

 

SD/GP/BT



(Release ID: 1754965) Visitor Counter : 237