પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી પીડિતો માટે આર્થિક સહાયની ઘોષણા કરી

પોસ્ટેડ ઓન: 20 AUG 2021 11:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં માર્ગ દુર્ઘટનાના કારણે થયેલા મૃત્યુ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.


પ્રધાનમંત્રી કાર્યાલયના એક ટ્વીટમાં કહ્યું;


“બુલઢાણા જિલ્લામાં દુર્ઘટનાના કારણે થયેલા મૃત્યુથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવાની કામના કરૂં છું. પીએમએનઆરએફમાંથી પ્રત્યેક મૃતકના પરિજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની રકમ અપાશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશેઃ પ્રધાનમંત્રી મોદી”

 

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1748145) મુલાકાતી સંખ્યા : 245