સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 50.86 કરોડનો સીમાચિહ્ન પાર કરી ગયું
સાજા થવાનો દર 97.40% થયો
છેલ્લા 24 કલાકમાં 35,499 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (4,02,188); કુલ કેસના 1.26%
દૈનિક પોઝિટિવિટી દર (2.59%) 14 દિવસથી 3% કરતા ઓછો
Posted On:
09 AUG 2021 10:15AM by PIB Ahmedabad
ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 50.86 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 58,79,068 સત્રોનું આયોજન કરીને રસીના 50,86,64,759 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 16,11,590 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં સામેલ છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,32,881
|
બીજો ડોઝ
|
79,82,037
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,82,17,136
|
બીજો ડોઝ
|
1,17,58,909
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
17,67,66,853
|
બીજો ડોઝ
|
1,20,24,776
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
11,18,71,679
|
બીજો ડોઝ
|
4,26,95,084
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
7,84,79,044
|
બીજો ડોઝ
|
3,85,36,360
|
કુલ
|
50,86,64,759
|
21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.40% સુધી પહોંચી ગયો છે. આ રોગચાળો શરૂ થયા બાદ ભારત દ્વારા પ્રાપ્ત થયેલ સૌથી વધુ રિકવરી રેટ છે.
રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,11,39,457 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 39,686 દર્દીઓ સ્વસ્થ થયા છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 35,499 નવા કેસ નોંધાયા છે.
પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

સક્રિય કેસનું ભારણ આજે 4,02,188 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.26% છે.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,71,871 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 48 કરોડથી વધારે (48,17,67,232) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.35% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.59% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર 63 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1743943)
Visitor Counter : 353