સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 50.86 કરોડનો સીમાચિહ્ન પાર કરી ગયું


સાજા થવાનો દર 97.40% થયો

છેલ્લા 24 કલાકમાં 35,499 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (4,02,188); કુલ કેસના 1.26%

દૈનિક પોઝિટિવિટી દર (2.59%) 14 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 09 AUG 2021 10:15AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 50.86 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 58,79,068 સત્રોનું આયોજન કરીને રસીના 50,86,64,759 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 16,11,590 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,32,881

બીજો ડોઝ

79,82,037

FLWs

પ્રથમ ડોઝ

1,82,17,136

બીજો ડોઝ

1,17,58,909

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,67,66,853

બીજો ડોઝ

1,20,24,776

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

11,18,71,679

બીજો ડોઝ

4,26,95,084

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

7,84,79,044

બીજો ડોઝ

3,85,36,360

કુલ

50,86,64,759

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.40% સુધી પહોંચી ગયો છે. આ રોગચાળો શરૂ થયા બાદ ભારત દ્વારા પ્રાપ્ત થયેલ સૌથી વધુ રિકવરી રેટ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,11,39,457 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 39,686 દર્દીઓ સ્વસ્થ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QELH.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 35,499 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VTFF.jpg

સક્રિય કેસનું ભારણ આજે 4,02,188 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.26% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003G0XN.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,71,871 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 48 કરોડથી વધારે (48,17,67,232) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.35% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.59% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર 63 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004HHBD.jpg

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1743943) Visitor Counter : 259