પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તેલંગણાના નગરકુરનુલમાં અકસ્માતમાં લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો


તેમણે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાયની રકમ ઉપલબ્ધ કરવા અંગે ઘોષણા કરી

Posted On: 23 JUL 2021 9:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના નગરકુરનુલમાં અકસ્માતમાં લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોનાં પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરવાની ઘોષણા પણ કરી છે.

પીએમઓના ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું, “તેલંગણાના નગરકુરનુલમાં અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. પીએમએનઆરએફમાંથી, પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીને રૂ. 2 લાખ આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશેઃ પીએમ મોદી”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1738394) Visitor Counter : 237