સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 36 કરોડના સીમાચિહ્નને પાર


છેલ્લા 24 કલાકમાં 43,733 દૈનિક નવા કેસ નોંધાયા છે

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,59,920; કુલ કેસના 1.50%

દૈનિક સકારાત્મકતા દર (2.29%) એક મહિના માટે 5% કરતા ઓછો છે

Posted On: 07 JUL 2021 10:59AM by PIB Ahmedabad

મહત્ત્વપૂર્ણ સિદ્ધિમાં ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 36 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 47,07,778 સત્રોનું આયોજન કરીને રસીના 36,13,23,548 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 36,05,998 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,02,36,072

બીજો ડોઝ

73,43,749

FLWs

પ્રથમ ડોઝ

1,76,16,750

બીજો ડોઝ

97,45,413

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

10,47,29,719

બીજો ડોઝ

30,47,880

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

9,17,29,358

બીજો ડોઝ

2,06,95,452

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,93,94,933

બીજો ડોઝ

2,67,84,222

કુલ

36,13,23,548

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 43,733 નવા કેસ નોંધાયા છે.

દસ દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001N37H.jpg

સક્રિય કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,59,920 છે.

છેલ્લા 24 કલાકમાં 4,437 નો ચોખ્ખો ઘટાડો જોવા મળ્યો છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.5૦% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00200RM.jpg

કોવિડ-19થી વધુ લોકો સ્વસ્થ થઇ રહ્યા હોવાથી ભારતમાં દૈનિક સાજા થવાની સંખ્યામાં પણ સતત 55મા દિવસે વધારો યથાવત છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 47,240 દર્દીઓ સાજા થયા છે.

દૈનિક નવા કેસની તુલનામાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,000થી વધુ (3,507) સાજા થયેલા લોકોની સંખ્યા નોંધાઈ હતી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BZQI.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 2,97,99,534 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 47,240 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.18% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044TGX.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,07,216 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 42.33કરોડથી વધારે (42,33,32,097) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.39% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.29% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 16 દિવસથી ૩%થી ઓછો છે અને મહિનાથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005MGO2.jpg

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1733293) Visitor Counter : 301