પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ શ્રી શરદ ત્રિપાઠીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 01 JUL 2021 9:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ સાંસદ શ્રી શરદ ત્રિપાઠીના અકાળે નિધન માટે ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું છે, “ શ્રી શરદ ત્રિપાઠીના અકાળે અવસાને મને અને અન્ય અનેક લોકોને દુઃખી કરી દીધા છે. તેમને વંચિત લોકો માટે કામ કરવા માટે અને સમાજ સેવા માટે લગાવ હતો. તેમણે સંત કબીર દાસજીના આદર્શોને જન-જન સુધી પહોંચાડવા માટે નવીનતમ પ્રયાસ કર્યો. તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે સંવેદનાઓ. ઓમ શાંતિ.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1731852) Visitor Counter : 212