નાણા મંત્રાલય

કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં ભારતીય અર્થતંત્રને ટેકો આપવા નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે રૂ. 6,28,993 કરોડનું રાહત પૅકેજ જાહેર કર્યું


● કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રો માટે રૂ. 1.1 લાખ કરોડની લોન ગૅરન્ટી યોજના

● ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી યોજના માટે વધુ રૂ. 1.5 લાખ કરોડ

● ક્રેડિટ ગૅરન્ટી યોજના માઇક્રો ફાયનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ (એમએફઆઇ) મારફત 25 લાખ વ્યક્તિઓને લોન સુગમ બનાવશે

● 11000થી વધારે નોંધાયેલા ટુરિસ્ટ્સ ગાઈડ્સ/ ટ્રાવેલ અને પર્યટન હિતધારકોને નાણાકીય મદદ

● પ્રથમ 5 લાખ પ્રવાસીઓને મફત એક માસના ટુરિસ્ટ વિઝા

● આત્મનિર્ભર ભારત રોજગાર યોજના 31મી માર્ચ 2022 સુધી લંબાવાઇ

● ડીએપી અને પીએન્ડકે ખાતરો માટે રૂ. 14,775 કરોડની વધારાની સબસિડી

● પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય) લંબાવાઇ- મે થી નવેમ્બર 2021 સુધી મફત અનાજ

● જાહેર આરોગ્ય માટે વધુ રૂ. 23,220 કરોડ જેમાં બાળકો અને પીડિઍટ્રિક કેર / પીડિઍટ્રિક બૅડ્સ પર ભાર

● પોષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને દેશને સમર્પિત થનારી અન્ય વિશેષતાઓ માટે 21 જાતના બાયો-ફોર્ટિફાઈડ પાક.

● રૂ. 77.45 કરોડ સાથે નોર્થ ઇસ્ટર્ન રિજિયોનલ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ કૉર્પોરેશન (એનઈઆરએએમએસી)નું પુનરુત્થાન

● નેશનલ એક્સ્પોર્ટ ઇન્સ્યુરન્સ એકાઉન્ટ (એનઈટીએ) મારફત પ્રોજેક્ટ નિકાસો માટે રૂ. 33,000 કરોડની મદદ

● એક્સપોર્ટ ઇન્સ્યુરન્સ કવરને રૂ. 88000 કરોડની મદદ

● ભારતનેટ પીપીપી મોડેલ મારફત દરેક ગામને બ્રોડબેન્ડ માટે રૂ. 19041 કરોડ

● મોટા કદના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો માટે પીએલઆઇ સ્કીમની મુદત 2025-26 સુધી લંબાવાઇ

● રૂ. 3.03 લાખ કરોડ સુધારા આધારિત-પરિણામ સાથે સંકળાયેલ વીજ વિતરણ યોજના માટે

● પીપીપી પ્રોજેક્ટ્સ અને એસેટ્સ મૉનેટાઇઝેશન માટે નવી સુવ્યવસ્થિત પ્રક્રિયા

Posted On: 28 JUN 2021 6:53PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે અત્રે આજે કોવિડ-19 મહામારીની બીજી લહેરથી અસરગ્રસ્ત વિવિધ ક્ષેત્રોને રાહત પૂરી પાડવા માટે શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યાં હતાં. જાહેર કરાયેલાં પગલાંનો હેતુ ઇમરજન્સી વળતાં પગલાં માટે આરોગ્ય પ્રણાલિઓને તૈયાર કરવાનો અને વિકાસ અને રોજગારને વેગ પૂરો પાડવાનો પણ છે. કેન્દ્રીય નાણાં  અને કોર્પોરેટ  બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર, નાણાં સચિવ ડૉ. ટી.વી. સોમનાથન; સચિવ, ડીએફએસ, શ્રી દેવાશિષ પાંડા અને સચિવ, મહેસૂલ શ્રી તરૂણ બજાજ પણ રાહત પૅકેજની જાહેરાત દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

 

નાણાં અને કોર્પોરેટ બાબતોનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં આર્થિક રાહત પૅકેજ જાહેર કરી રહ્યાં છે.

 

 

રૂ. 6,28,993 કરોડના કુલ 17 પગલાં જાહેર કરવામાં આવ્યાં હતાં. એમાં અગાઉ જાહેર થયેલાં બે પગલાં જેવા કે ડીએપી અને પી એન્ડ કે ખાતરો માટે વધારાની સબસિડી અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય) મેથી નવેમ્બર 2021 સુધી લંબાવવાનો સમાવેશ થાય છે.

 

આજે જાહેર કરાયેલાં પગલાંને 3 વિસ્તૃત શ્રેણીઓમાં ભેગાં કરી શકાય છે:-

 

  1. મહામારીમાંથી આર્થિક રાહત
  2. જાહેર આરોગ્યને મજબૂત કરવું
  3. વિકાસ અને રોજગારને પ્રોત્સાહન-વેગ

 

  1. મહામારીમાંથી આર્થિક રાહત

 

આજે જાહેર કરવામાં આવેલી 17 યોજનાઓમાંથી આઠનો હેતુ કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત થયેલા લોકો અને ધંધાઓને આર્થિક રાહત પૂરી પાડવાનો છે. આરોગ્ય અને પ્રવાસ,પર્યટન ક્ષેત્રોના પુનરુત્થાન પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

 

  1. કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રો માટે રૂ. 1.10 લાખ કરોડની લોન ગૅરન્ટી સ્કીમ

 

નવી યોજના હેઠળ ધંધાઓને રૂ. 1.1 લાખ કરોડનું વધારાનું ધિરાણ મળી રહેશે. એમાં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 50000 કરોડ અને પર્યટન સહિતના અન્ય ક્ષેત્રો માટે રૂ. 60000 કરોડનો સમાવેશ થાય છે.

આરોગ્ય ક્ષેત્ર માટેના ઘટકનો હેતુ અપાત્ર-વંચિત રહી ગયેલા વિસ્તારોને લક્ષ્યાંક બનાવીને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો છે. 8 મેટ્રોપોલિટન શહેરો સિવાયના શહેરોમાં આરોગ્ય/મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધી વિસ્તરણ અને નવા પ્રોજેક્ટ્સ બેઉ માટે ગૅરન્ટી કવર ઉપલબ્ધ રહેશે. વિસ્તરણ માટે ગૅરન્ટી કવર 50% અને નવા પ્રોજેક્ટ્સ માટે ગૅરન્ટી કવર 75% રહેશે. આકાંક્ષી જિલ્લાઓના કિસ્સામાં, નવા પ્રોજેક્ટ્સ અને વિસ્તરણ બેઉ માટે ગૅરન્ટી કવર 75% રહેશે. યોજના હેઠળ મહત્તમ મળવાપાત્ર લોન રૂ. 100 કરોડ છે અને ગૅરન્ટી કવર 3 વર્ષ સુધી રહેશે. બૅન્કો લોન પર મહત્તમ 7.95% વ્યાજ લઈ શક્શે. અન્ય ક્ષેત્રો માટેની લોન વાર્ષિક 8.25%ની વ્યાજની ટોચમર્યાદા સાથે ઉપલબ્ધ રહેશે. રીતે યોજના હેઠળ મળનારી લોન ગૅરન્ટી વગરના 10-11%ના સામાન્ય વ્યાજ દરોની સરખામણીએ ઘણી સસ્તી રહેશે.

 

  1. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ (ઈસીએલજીએસ)

 

સરકારે મે 2020માં શરૂ કરાયેલ આત્મનિર્ભર ભારત પૅકેજના ભાગરૂપે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ (ઈસીએલજીએસ)ને રૂ. 1.5 લાખ કરોડ સુધી વિસ્તારવાનું નક્કી કર્યું છે. રૂ. 2.83 લાખ કરોડ પહેલેથી મંજૂર થઈ ગયા છે અને યોજનામાં રૂ. 2.10 લાખ કરોડ ક્યારનાય ચૂકવી દેવાયા છે જોતાં ઈસીએલજીએસને ઘણો ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો. વિસ્તારિત યોજના હેઠળ, મળવાપાત્ર ગૅરન્ટી અને લોનની રકમ, દરેક લોન પર બાકીના 20%ના હાલના સ્તરથી વધારવાની દરખાસ્ત છે. બદલાતી જરૂરિયાતો મુજબ ક્ષેત્રો પ્રમાણેની વિગતો નક્કી કરવામાં આવશે. મળવાપાત્ર ગૅરન્ટીની એકંદર ટોચ મર્યાદા રીતે રૂ. 3 લાખ કરોડથી વધારીને રૂ. 4.5 લાખ કરોડ કરાઇ છે.

 

  1. માઇક્રો ફાયનાન્સ ઈન્સ્ટિટ્યુશન્સ માટે ક્રેડિટ ગૅરન્ટી સ્કીમ

 

સંપૂર્ણપણે આજે જાહેર થયેલી નવી યોજના છે જેનો હેતુ માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટિટ્યુશન્સ દ્વારા જેમને સેવાઓ આપવામાં આવે છે એવા નાનામાં નાના ધિરાણ મેળવનારાઓને લાભ આપવાનો છે. એનબીએફસી-એમએફઆઇ કે એમએફઆઇની નવી કે હયાત લોન માટે આશરે 25 લાખ નાના લોનધારકોને રૂ. 1.25 લાખ સુધીનું ધિરાણ આપવા માટે શેડ્યુલ્ડ કૉમરશિયલ બૅન્કોને ગૅરન્ટી પૂરી પાડવામાં આવશેબૅન્કોથી લોન પર એમસીએલઆર વત્તા 2%ની ટોચમર્યાદા રહેશે. લોનની મહત્તમ મુદત ત્રણ વર્ષની રહેશે અને 80% મદદ વૃદ્ધિશીલ ધિરાણ માટે એમએફઆઇ દ્વારા વાપરવામાં આવશે. વ્યાજના દરો આરબીઆઇ દ્વારા નિર્ધારિત મહત્તમ દરથી ઓછામાં ઓછા 2% નીચે રહેશે. યોજના નવા ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નહીં કે જૂની લોનની પુન:ચૂકવણી પર. એમએફઆઇઓ આરબીઆઇની પ્રવર્તમાન માર્ગદર્શિકા જેમ કે ધિરાણકર્તાઓની સંખ્યા, ધિરાણ લેનાર જેએલજી સભ્ય હોવો જોઇએ, પરિવારની આવક અને દેવા પર ટોચમર્યાદા, એને સુસંગત રહીને, ધિરાણદારોને ધિરાણ આપશે. યોજનાની બીજી વિશેષતા છે કે (89 દિવસ સુધીના નાદારો સહિત) તમામ ધિરાણ મેળવનારાઓ પાત્ર રહેશે. એમએલઆઇઓ દ્વારા પૂરું પડાયેલ ગૅરન્ટી કવર ફંડિંગ માટે એમએફઆઇ/એનબીએફસી-એમએફઆઇઓને 31 માર્ચ, 2022 અથવા રૂ. 7500 કરોડની રકમ માટે ગૅરન્ટી જારી થાય ત્યાં સુધી, બેમાંથી જે પહેલું થાય ત્યાં સુધી  ઉપલબ્ધ રહેશે. નેશનલ ક્રેડિટ ગૅરન્ટી ટ્રસ્ટી કંપની (એનસીજીટીસી) મારફત 3 વર્ષો સુધી નાદારીની રકમના 75% સુધી ગૅરન્ટી પૂરી પાડવામાં આવશે.

 

  1. ટુરિસ્ટ ગાઈડ્સ/ હિતધારકો માટેની યોજના

આજે જાહેર કરવામાં આવેલી વધુ એક નવી યોજનાનો હેતુ પર્યટન ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને રાહત પૂરી પાડવાનો છે. કોવિડ- અસરગ્રસ્ત ક્ષેત્રો માટે નવી લૉન ગૅરન્ટી સ્કીમ હેઠળ, પર્યટન ક્ષેત્રના લોકોને એમની જવાબદારીઓ પૂરી કરવા અને કોવિડ-19 મહામારીને કારણે અસરગ્રસ્ત થયેલા એમનાં ધંધા ફરી શરૂ કરવા માટે કાર્યકારી મૂડી/પર્સનલ લોન પૂરી પાડવામાં આવશે. યોજના 10,700 પ્રાદેશિક સ્તરના ટુરિસ્ટ ગાઈડ્સ જેમને પર્યટન મંત્રાલય દ્વારા માન્યતા મળી છે અને રાજ્ય સરકારો દ્વારા માન્ય કરાયેલા ટુરિસ્ટ ગાઈડ્સને અને પર્યટન મંત્રાલય દ્વારા માન્ય આશરે 1000 જેટલાં  પ્રવાસ અને પર્યટનના હિતધારકોને (ટીટીએસ) આવરી લેશે. ટીટીએસને દરેકને રૂ. 10 લાખ સુધીની લોન મળવા પાત્ર રહેશે જ્યારે ટુરિસ્ટ્સ ગાઈડ્સને દરેકને રૂ. 1 લાખ સુધીની લોન મળશે. એમાં કોઇ પ્રોસેસિંગ ચાર્જ નહીં હોય, લોન બંધ કરવા કે વહેલી પુન:ચૂકવણીના ચાર્જ પણ જતા કરાયા છે અને વધારાના કૉલેટર્લ-જામીનની જરૂર નથી. યોજના એનસીજીટીસી મારફત  પર્યટન મંત્રાલય દ્વારા ચલાવાશે.

 

 

  1. 5 લાખ પર્યટકોને મફત ટુરિસ્ટ વિઝા

 

પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના હેતુવાળી વધુ એક યોજના છે. એમાં એવી કલ્પના છે કે વિઝા જારી કરવાનું એક વાર શરૂ કરવામાં આવે એટલે, ભારતની મુલાકાત લેવા માટે પહેલા 5 લાખ ટુરિસ્ટ વિઝા નિ:શુલ્ક જારી કરવામાં આવશે. જો કે એક પર્યટક માત્ર એક વાર યોજનાનો લાભ લઈ શક્શે. સુવિધા 31મી માર્ચ 2022 અથવા પહેલા 5 લાખ વિઝા જારી થાય ત્યાં સુધી, બેમાંથી જે વહેલું થાય ત્યાં સુધી લાગુ રહેશે. યોજનાથી સરકાર રૂ. 100 કરોડની અંદાજિત આવક ગુમાવશે.

 

  1. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લંબાવાઇ

 

પહેલી ઑક્ટોબર, 2020ના રોજ આત્મનિર્ભર ભારત રોજગાર યોજના શરૂ કરવામાં આવી હતી. તે નોકરીદાતાઓને નવા રોજગારના સર્જન, નોકરી ગુમાવી દીધેલાના પુનસ્થાપન માટે ઈપીએફઓ મારફત પ્રોત્સાહિત કરે છે. યોજના હેઠળ, 1000 સુધીના કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે, મહિને રૂ. 15000થી ઓછો પગાર મેળવતા નવા કર્મચારીઓ માટે નોંધણીથી બે વર્ષ માટે, નોકરીદાતા અને કર્મચારી બેઉના યોગદાન (પગારના કુલ 24%) અને 1000થી વધારે કર્મચારીઓ હોય એવી સંસ્થાઓના કિસ્સામાં માત્ર કર્મચારીનો હિસ્સા (પગારના 12%)ની સબસિડી પૂરી પાડવામાં આવે છે. યોજના હેઠળ 79,577 સંસ્થાઓના 21.42 લાખ લાભાર્થીઓને રૂ. 902 કરોડના લાભો 18-06-2021 સુધીમાં આપવામાં આવ્યા છે. સરકારે યોજના હેઠળ નોંધણીની તારીખ 30-06-2021થી લંબાવીને 31-03-2022 કરવાનું નક્કી કર્યું છે.

 

  1. ડીએપી અને પી એન્ડ કે ખાતરો માટે વધારાની સબસિડી

 

ડીએપી અને પી એન્ડ કે ખાતરો માટે ખેડૂતોને વધારાની સબસિડી તાજેતરમાં જાહેર કરાઇ હતી. આની વિગતો આપવામાં આવી હતી. નાણાંકીય વર્ષ 2020-21માં હયાત એનબીએસ સબસિડી રૂ. 27500 કરોડ હતી જે વધારીને નાણાંકીય વર્ષ 2021-22માં રૂ. 42,275 કરોડ કરવામાં આવી છે. રીતે, ખેડૂતોને રૂ. 14,775 કરોડની વધારાની રકમનો લાભ થશે. આમાં ડીએપી માટે વધારાની રૂ. 9125 કરોડની સબસિડી અને એનપીકે આધારિત કૉમ્પેક્સ ખાતર માટે રૂ. 5650 કરોડની વધારાની સબસિડીનો સમાવેશ થાય છે.

 

  1.  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમ-જીકેવાય) હેઠળ મે થી નવેમ્બર, 2021 મફત અનાજ

કોવિડ-19 મહામારીને કારણે આર્થિક વિક્ષેપ પડ્યો એના કારણે ગરીબોને વેઠવી પડતી હાડમારી નિર્મૂળ કરવા માટે ગત નાણાંકીય વર્ષમાં સરકારે રૂ. 133,972 કરોડ પીએમ-જીકેવાય હેઠળ ખર્ચ્યા હતા. યોજના શરૂઆતમાં એપ્રિલથી જૂન 2020 સુધી શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં, ગરીબો અને જરૂરિયાતમંદોને સતત ટેકાની જરૂરને ધ્યાનમાં રાખીને યોજના નવેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી હતી. કોવિડ-19 મહામારીની બીજી લહેરને પગલે, યોજના મે 2021માં ફરી શરૂ કરવામાં આવી જેથી ગરીબો/નબળા લોકોએન ખાદ્ય સલામતી સુનિશ્ચિત થઇ શકે. એનએફએસએના લાભાર્થીઓને મે થી નવેમ્બર 2021 સુધી 5 કિલો અનાજ મફત પૂરું પાડવામાં આવશે. યોજનાના અંદાજિત નાણાંકીય સૂચિતાર્થો રૂ. 93869 કરોડ હશે, આમ પીએમ-જીકેવાય હેઠળ કુલ ખર્ચ રૂ, 2,27,841 કરોડ થશે.

 

  1. જાહેર આરોગ્યનું મજબૂતીકરણ

 

જાહેર આરોગ્ય માટે રૂ. 23220 કરોડ અને બાળકો અને પીડિયાટ્રિક કેર/પીડિયાટ્રિક બૅડ્સ પર ખાસ ભાર

 

ક્રેડિટ ગૅરન્ટી સ્કીમ મારફત આરોગ્ય ક્ષેત્રને મદદ કરવા ઉપરાંત, જાહેર આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધનોને મજબૂત કરવા માટે રૂ. 23,220 કરોડના ખર્ચ સાથેની એક નવી યોજના પણ જાહેર કરવામાં આવી છે. નવી યોજના ટૂંકા ગાળાની ઇમરજન્સી તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં બાળકો અને પીડિયાટ્રિક કેર/પીડિયાટ્રિક બૅડ્સ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ખર્ચવા માટે રૂ. 23,220 કરોડની રકમ યોજના માટે ફાળવવામાં આવી છે. યોજના હેઠળ, મેડિકલ વિદ્યાર્થીઓ(ઇન્ટર્ન, રેસિડેન્ટ, ફાઇનલ યર) અને નર્સિંગ વિદ્યાર્થીઓ મારફત  ટૂંકા ગાળાની એચઆર વૃદ્ધિ; આઇસીયુ બૅડ્સની ઉપલબ્ધતા વધારવા, કેન્દ્રીય જિલ્લા ને તાલુકા સ્તરે ઑક્સિજન સપ્લાય; સાધનો અને દવાઓની ઉપલબ્ધતા; ટેલિ કન્સલ્ટેશનની સુવિધા; એમ્બ્યુલન્સ સેવાઓ મજબૂત કરવા અને ટેસ્ટિંગ ક્ષમતાઓ અને સહાયક નિદાન વધારવા; સર્વેલન્સ અને જિનોમ સિકવન્સિંગ માટેની ક્ષમતા મજબૂત કરવા માટે ફંડ ઉપલબ્ધ કરાશે.

 

  1. વિકાસ અને રોજગારને વેગ આપવા માટે સરકાર દ્વારા વિશેષ ધ્યાન અપાયું છે. માટે નીચેની આઠ યોજનાઓ જાહેર કરવામાં આવી છે:-  
  1. આબોહવા સામે ટક્કર ઝીલે એવી ખાસ  વિશિષ્ટ વિવિધતાઓ

વધારે પાક આપતી વિવિધતાઓ વિક્સાવવા પર અગાઉ ધ્યાન કેન્દ્રિત કરવાથી પોષણ, આબોહવા સામે ટક્કર અને અન્ય વિશેષતાઓ તરફ ધ્યાનનો અભાવ રહેતો હતો. વિવિધતાઓમાં, મહત્ત્વના પોષણોનું એકમિશ્રણ જરૂરી સ્તર કરતા બહુ ઓછું રહેતું હતું અને જૈવિક અને બિનજૈવિક દબાણને ગ્રહણસમ રહેતા. આઇસીએઆરે બાયો-ફોર્ટિફાઈડ પાકની વિવિધતાઓ વિક્સાવી છે જેમાં પ્રોટિન, આયર્ન, ઝિંક, વિટામિન- જેવા ઉચ્ચ પોષણો છે. વિવિધતાઓ રોગ, જંતુ, ઉપદ્રવ, દુકાળ, ખારાશ અને પૂર સામે સહનશીલ છે; વહેલી પાકે છે અને યાંત્રિક કાપણી માટે ખપ લાગે એવી પણ વિક્સાવાઇ છે. ચોખા, કઠોળ, જુવાર, મકાઇ, સોયાબિન, કિન-વાહ, અનાજ, વાલ, અડદ, બાજરી અને છાસટિયાની  21 આવી વિવિધતાઓ દેશને સમર્પિત કરાશે.

 

  1. નોર્થ ઇસ્ટર્ન રિજિયોનલ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ કોર્પોરેશન (એનઈઆરએ એમએસી)નું પુનરુત્થાન

1982માં નોર્થ ઇસ્ટર્ન રિજિયોનલ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ કોર્પોરેશન (એનઈઆરએ એમએસી)ની સ્થાપના ઉત્તર-પૂર્વના ખેડૂતોને એમની કૃષિ અને બાગાયતી પેદાશોને ફાયદાકરક ભાવો મળી રહે માટે મદદ કરવા માટે કરવામાં આવી હતી. એનો હેતુ ખેતી, પ્રાપ્તિ, પ્રોસેસિંગ અમે માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તર-પૂર્વમાં વધારવાનો ક્છે. 75 જેટલી ખેત ઉત્પાદક સંસ્થાઓ/ખેડૂત પ્રોડ્યુસર કંપનીઓ એનઈઆરએએમએસી સાથે નોંધાયેલી છે. ઉત્તર-પૂર્વના પાકોની 13 જિયોલોજિકલ ઇન્ડિકેટર (જીઆઇ)ની નોંધણી તેણે સુગમ બનાવી હતી. વચેટિયાઓ અંદ એજન્ટોને બાય પાસ કરીને ખેડૂતોને 10-15% ઊંચા ભાવો અપાવવા કંપનીએ બિઝનેસ પ્લાન તૈયાર કર્યો છે. તે નોર્થ ઇસ્ટર્ન સેન્ટર ફોર ઓર્ગેનિક કલ્ટિવેશન સ્થાપવા પણ ધારે છે. જે સાહસિકોને ઇક્વિટી ફાયનાન્સ સુલભ બનાવશે. રૂ. 77.45 કરોડનું પુનરુત્થાન પૅકેજ એનઈઆરએએમએસીને પૂરું પાડવામાં આવશે.

 

  1. નેશનલ એક્સ્પોર્ટ ઇન્સ્યુરન્સ એકાઉન્ટ (એનઈઆઇએ) મારફત પ્રોજેક્ટ્સ નિકાસને રૂ. 33000 કરોડની મદદ

 

નેશનલ એક્સપોર્ટ ઇન્સ્યુરન્સ એકાઉન્ટ (એનઈઆઈએ) ટ્રસ્ટ મધ્યમ અને લાંબા ગાળાના (એમએલટીપ્રોજેક્ટ નિકાસને રિસ્ક કવર આપીને ઉત્તેજન આપે છે, તે એક્ઝિમ બૅન્ક દ્રારા અપાતી બાયર્સ ક્રેડિટને ઓછા ધિરાણ પાત્ર ધિરાણ મેળવનારાઓને કવર પૂરું પાડે છે અને પ્રોજેક્ટ નિકાસને મદદ કરે છે. એનઇઆઇએ ટ્રસ્ટે 31 માર્ચ 2021 સુધીમાં 63 વિવિધ ભારતીય પ્રોજેક્ટ નિકાસકારો દ્વારા 52 દેશોમાં રૂ. 52,860 કરોડના 211 પ્રોજેક્ટ્સને મદદ કરી છે. એનઈઆઇએને 5 વર્ષો સુધી વધારાનું ફંડ પૂરું પાડવાનું નક્કી થયું છે. આનાથી, વધારાના રૂ. 33000 કરોડના પ્રોજેક્ટ્સ નિકાસોને અંડરરાઇટ કરવા સમર્થ બનશે.

 

  1. એક્સપોર્ટ ઇન્સ્યુરન્સ કવરને રૂ. 88000 કરોડની મદદ

એક્સ્પોર્ટ ક્રેડિટ ગૅરન્ટી કૉર્પોરેશન (ઈસીજીસી) ક્રેડિટ ઇન્સ્યુરન્સ સેવાઓ પૂરી પાડીને નિકાસને ઉત્તેજન આપે છે. એનો પ્રોડક્ટ ટેકો ભારતની માલ નિકાસના આશરે 30% છે. ઇસીજીસીમાં 5 વર્ષિમાં ઇક્વિટી ઉમેરવાનું નક્કી થયું છે જેનાથી ઇન્સ્યુરન્સ કવરને રૂ. 88000 કરોડ સુધી વેગ મળશે.

 

  1. ડિજિટલ ઇન્ડિયા: રૂ. 19041 કરોડ પીપીપી મોડેલ ભારતનેટ હેઠળ દરેક ગામમાં બ્રોડબેન્ડ માટે

2,50,000 ગ્રામ પંચાયતોમાંથી 1,56223 ગ્રામ પંચાયતો 31 મે 2021 સુધીમાં સેવા તૈયાર કરાઇ છે. વાયેબિલિટી ગૅપ ફંડિંગ આધારે 16 રાજ્યો (9 પૅકેજીસમાં એકત્ર) પીપીપી મોડેલમાં ભારતનેટ અમલી કરવાની દરખાસ્ત છે. માટે વધુ રૂ. 19041 કરોડ પૂરાં પાડવામાં આવશે. રીતે, ભારતનેટ હેઠળ કુલ ખર્ચ વધારીને રૂ. 61109 કરોડ કરાયો છે. આનાથી તમામ ગ્રામ પંચાયતો અને વસાહતી ગામોને આવરી લેવા ભારતનેટનું વિસ્તર અને અપગ્રેડેશન થશે.

 

  1. મોટા પાયાના ઇલ્કેટ્રોનિક ઉત્પાદન માટે પીએલઆઇ સ્કીમની મુદત લંબાવાઇ

 

પીએલઆઇ સ્કીમ ભારતમાં ઉત્પાદિત લક્ષ્યાંક સેગમેન્ટ્સ હેઠળ માલના વૃદ્ધિશીલ વેચાણ પર 6% થી 4% પ્રોત્સાહનો 5 વર્ષના ગાળા માટે પૂરાં પાડે છે. પોત્સાહનો બેઝ વર્ષ 2019-20 સાથે 01-08-2020થી લાગુ છે. તેમ છતાં, મહામારી સંબંધી લૉકડાઉનો, માણસોની અવરજવર પરના નિયંત્રણો, પુન:સ્થળાંતરિત પ્લાન્ટ અને શીનરીની સ્થાપનામાં વિલંબ, ઘટકોની પુરવઠા કડીમાં વિક્ષેપને કારણે, ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિક્ષેપને કારણે કંપનીઓ વૃદ્ધિશીલ વેચાણ હાંસલ કરી શકી નથી. આથી, 2020-21માં શરૂ કરાયેલી યોજનાની મુદત વધુ એક વર્ષ એટલે કે 2025-26 સુધી લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાગ લેનારી કંપનીઓને એમના ઉત્પાદનના લક્ષ્યાંકો યોજનામાં કોઇ પણ 5 વર્ષ પસંદ કરવા માટેનો વિકલ્પ મળશે. 2020-21માં કરાયેલા રોકાણો પાત્ર રોકાણ તરીકે ગણવાનું ચાલુ રહેશે.

 

 

  1. સુધારા આધારિત- પરિણામ સાથે સંકળાયેલ વીજ વિતરન યોજના માટે રૂ. 3.03 લાખ કરોડ

 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જન, સિસ્ટમ અપગ્રેડેશન અને ક્ષમતા નિર્માણ અને પ્રક્રિયા સુધારણા માટે ડિસ્કોમ્સને નાણાકીય મદદની સુધારાયેલી, સુધારા આધારિત, પરિણામ સાથે જોડાયેલી વીજ વિતરણ યોજના કેન્દ્રીય અંદાજપત્ર 2021-22માં જાહેર કરાઇ હતી. એનો હેતુબધા માટે એક ના બદલે ચોક્કસ હસ્તક્ષેપનો છે. યોજનામાં ભાગ લેવા માટે કેટલાંક માપદંડોમાં ખરા ઉતરવું પડે છે જેમ કે ઑડિટેડ નાણાંકીય પરિણામો પ્રકાશિત કરવા, રાજ્ય સરકારના બાકી લેણાં/સબસિડી ડિસ્કોમ્સને પહેલેથી લિક્વિડેશન અને વધારાની નિયામક અસ્ક્યામતોને નહીં સર્જવી. યોજના હેઠળ, એવો હેતુ છે કે 25 કરોડ સ્માર્ટ મીટર્સ, 10,000 ફીડર્સ, 4 લાખ કિમી એલટી ઓવરહેડ લાઇનોની સ્થાપના માટે મદદ પૂરી પાડવી. આઇપીડીએસ, ડીડીયુજીજેવાય અને સૌભાગ્ય્ના ચાલુ રહેલા કામો પણ યોજનામાં વિલિન કરાશે. યોજના માટે કુલ ખર્ચ રૂ. 3,03,058 કરોડ છે જેમાંથી કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 97631 કરોડ રહેશે. યોજના હેઠળ મળનારી રકમ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 0.5% વધારાના ઉછીના લેવાની છૂટ આપવામાં આવી છે ઉપરાંત હશે જે રાજ્યોને આગામી ચાર વર્ષો માટે ઉપલબ્ધ રહેશે, શરતને આધીન કે ચોક્કસ ઉર્જા ક્ષેત્રના સુધારા કરવા પડશે. વર્ષે ઉધાર માટેની હેતુ માટેની રકમ રૂ. 1,05,864 કરોડ છે.

 

  1. પીપીપી પ્રોજેક્ટ્સ અને એસેટ મોનેટાઇઝેશન માટે નવી સુવ્યવસ્થિત પ્રક્રિયા

 

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ્સ માટે મંજૂરીની હાલની પ્રક્રિયા લાંબી છે અને મંજૂરીના બહુ સ્તરો એમાં સંકળાયેલા છે. પીપીપી દરખાસ્તોના એપ્રાઇઝલ અને મંજૂરી માટે અને મહત્ત્વની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોના ઇનવીઆઇટીઝ મારફત સહિતના  મોનેટાઇઝેશ માટે એક નવી નીતિ ઘડવામાં આવશે. નીતિનો હેતુ પ્રોજેક્ટ્સની ઝડપી મંજૂરી સુનિશ્ચિત કરવાનો છે જેથી નાણાંકીય નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાપનમાં ખાનગી ક્ષેત્રની કારદક્ષતાઓ સુગમ બને.

આજે જાહેર કરવામાં આવેલા આર્થિક રાહત પૅકેજની નાણાંકીય વિગતો નિમ્ન કોષ્ટકમાં છે.

 

 

 

યોજના

ગાળો

રકમ () રૂ. કરોડમાં

ટિપ્પણી

મહામારીમાંથી આર્થિક રાહત

 

કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રો માટે લોન ગૅરન્ટી સ્કીમ

2021-22

1,10,000

 

ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ (ઇસીએલજીએસ)

2021-22

1,50,000

વિસ્તરણ

માઇક્રો ફાયનાન્સ ઇન્સ્ટિટ્યુશન્ માટે ધિરાણ ગૅરન્ટી

2021-22

7,500

 

ટુરિસ્ટ ગાઈડ/હિતધારકો માટેની યોજના

2021-22

-

લોન ગૅરન્ટી યોજના હેઠળ આવરી લેવાઇ

5 લાખ પર્યટકોને એક માસના મફત ટુરિસ્ટ વિઝા

2021-22

100

 

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લંબાવાઇ

2021-22

-

 

ડીએપી અને પી એન્ડ કે ખાતર માટે વધારાની સબસિડી

2021-22

14,775

 

પીએમ-જીકેવાય હેઠળ મે થી નવેમ્બર 2021 મફત અનાજ

2021-22

93,869

 

આરોગ્ય

 

જાહેર આરોગ્ય માટે નવી યોજના  

2021-22

15,000

યોજના ખર્ચ 23,220 કરોડ; કેન્દ્રનો હિસ્સો રૂ.  15,000 કરોડ

વિકાસ અને રોજગાર માટે પ્રોત્સાહન

 

આબોહવા સામે ટક્કર ઝીલે એવી ખાસ વિશિષ્ટતાઓ સાથેની વિવિધતાની શરૂઆત

202122

-

 

  1. નોર્થ ઇસ્ટર્ન રિજિયોનલ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ કોર્પોરેશન (એનઈઆરએ એમએસી)નું પુનરુત્થાન

 

2021-22

77

 

એનઈઆઇએ મારફત પ્રોજેક્ટ્સ નિકાસને મદદ

2021-22 to 2025-26

33,000

 

એક્સપોર્ટ ઇન્સ્યુરન્સ કવરને મદદ

2021-22 to 2025-26

88,000

 

ભારતનેટ પીપીપી મોડેલ મારફત દરેક ગામમાં બ્રોડબેન્ડ

2021-22 to 2022-23

19,041

 

મોટા પાયાન ઇલેક્ટ્રોનિક ઉત્પાદન માટે પીએલઆઇ સ્કીમની મુદત લંબાવાઇ

 

 

મુદત વધારો

સુધારા આધારિત- પરિણામ સાથે સંકળાયેલ વીજ વિતરણ યોજના (બજેટ જાહેરાત)

2021-22 to 2025-26

97,631

યોજના ખર્ચ  – રૂ. 3,03,058 કરોડકેન્દ્રીય હિસ્સો  – રૂ. 97,631 કરોડ

કુલ

 

6,28,993

 

 

*****

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1731016) Visitor Counter : 481