સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે કોવિડ-19 રસીકરણમાં બીજો સીમાચિહ્ન હાંસલ કર્યો છે અને કુલ કોવિડ રસી ડોઝની કુલ સંખ્યામાં યુએસએને પાછળ છોડી દીધો છે


32.36 કરોડ કોવિડ રસી ડોઝ સમગ્ર દેશમાં આપવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,148 નવા કેસ નોંધાયા

ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 5,72,994 પર આવી ગયો

Posted On: 28 JUN 2021 11:09AM by PIB Ahmedabad

ભારતે તેની કોવિડ-19 રસીકરણ ડ્રાઇવમાં બીજો સીમાચિહ્ન હાંસલ કર્યો છે કારણ કે તે કુલ કોવિડ રસી ડોઝની કુલ સંખ્યાના સંદર્ભમાં યુએસએને પાછળ છોડી દીધો છે. ભારતની કોવિડ રસીકરણ ડ્રાઇવ 16મી જાન્યુઆરી 2021 ના રોજ શરૂ થઈ હતી, જ્યારે યુએસએમાં કોવિડ રસીકરણ 14 ડિસેમ્બર 2020 થી શરૂ થયું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010943.jpg

એક મહત્વપૂર્ણ સફળતારૂપે, ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 32.36 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 43,21,898 સત્રોનું આયોજન કરીને રસીના 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 17,21,268 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,01,98,257

બીજો ડોઝ

72,07,617

FLWs

પ્રથમ ડોઝ

1,74,42,767

બીજો ડોઝ

93,99,319

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

8,46,51,696

બીજો ડોઝ

19,01,190

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

8,71,11,445

બીજો ડોઝ

1,48,12,349

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,75,29,713

બીજો ડોઝ

2,34,08,944

કુલ

32,36,63,297

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 46,148 કેસ નોંધાયા છે.

સળંગ 21 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 1 લાખ કરતાં ઓછી નોંધાઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે સ્થિતિમાં આ સુધારો જોવા મળ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SVQK.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 5,72,994 નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં 13,409 દર્દીઓનો ચોખ્ખા ઘટાડો નોંધાયો છે અને હવે ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની  સંખ્યા 1.89% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003RZR8.jpg

 

વધુને વધુ દર્દીઓ કોવિડ-19ના ચેપમાંથી મુક્ત થઇ રહ્યાં હોવાથી, ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો સતત 46મા દિવસે વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 58,578 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થનારાનો આંકડો લગભગ 12,000 (12,430) વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CB1B.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,93,09,607 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 58,578 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 96.80% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005I38W.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,70,515 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 40.63 કરોડથી વધારે (40,63,71,279) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.81% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.94% નોંધાયો છે. સળંગ 21 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006TORS.jpg

 

****

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1730827) Visitor Counter : 326