પ્રધાનમંત્રીનું કાર્યાલય

જમ્મુ અને કાશ્મીર મુદ્દે આજે યોજાયેલી બેઠક વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું: પ્રધાનમંત્રી


જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીનો પાયો મજબૂત કરવો એ અમારી પ્રાથમિકતા છે: પ્રધાનમંત્રી

સીમાંકન પ્રક્રિયા ઝડપથી થવી જોઇએ જેથી જમ્મુ અને કાશ્મીરને ચૂંટાયેલી સરકાર પ્રાપ્ત થાય: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 24 JUN 2021 8:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે આજે યોજાયેલી બેઠકને સર્વાંગી વિકાસ સાથે વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ બેઠક બાદ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને આમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે આજે યોજાયેલી બેઠક જ્યાં સર્વાંગી વિકાસ હશે તેવા વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીનો પાયો મજબૂત કરવો એ અમારી પ્રાથમિકતા છે. સીમાંકનની કામગીરી ઝડપથી થવી જોઇએ જેથી ચૂંટણીઓ યોજાઇ શકે અને જમ્મુ અને કાશ્મીરને વિકાસના માર્ગે આગળ વધવા માટે મજબૂતી આપી શકે તેવી ચૂંટાયેલી સરકાર પ્રાપ્ત થાય.

આપણી લોકશાહીની સૌથી મોટી તાકાત એક જ ટેબલ પર બેસીને અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવાનું આપણું સામર્થ્ય છે. મેં જમ્મુ અને કાશ્મીરના નેતાઓને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરને ખાસ કરીને યુવાનો સહિત ત્યાંના લોકોએ રાજકીય નેતૃત્વ આપવાનું છે અને તેમની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે તેવી ખાતરી આપવાની છે.

 

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1730235) आगंतुक पटल : 311
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam