સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 60753 કેસો નોંધાયા


એક્ટિવ કેસ લોડ 74 દિવસ પછી ઘટીને 7,60,019 થયો

સતત 37મા દિવસે બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 67,208 દૈનિક નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર સતત વધીને 96.16% થયો

દૈનિક પોઝિટીવિટી દર 2.98%, સતત 12 દિવસથી પોઝિટીવિટી દર 5% કરતાં ઓછો નોંધાય છે

Posted On: 19 JUN 2021 10:15AM by PIB Ahmedabad

ભારતમાં દૈનિક નવા કોવિડ કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 60,753 કેસ નોંધાયા છે.

દેશમાં 12મા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોનો આંકડો 1 લાખથી નીચે રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે આ પરિણામ પ્રાપ્ત થયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UI35.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 7,60,019 નોંધાયું છે. સક્રિય કેસોનું ભારણ 74 દિવસ પછી સૌથી ઓછું રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 38,637 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે ફક્ત 2.55% રહી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028T04.jpg

 

ભારતમાં કોવિડથી સંક્રમિત થયેલા વધુને વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી સતત 37 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીને નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 97,743 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા 37000 (36,990) જેટલી વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003R59X.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,86,78,390 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 97,743 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 96.16% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GZNH.jpg

દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,02,009 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 38.92 કરોડ જેટલો (38,92,07,637) થઇ ગયો છે.

 

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 3.58% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.98% નોંધાયો છે. સતત 12 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ZHWB.jpg

ગઈ કાલે ભારતે 27.23 કરોડ રસીકરણ કવરેજના સીમાચિહ્નને પાર કર્યો. આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 37,48,147 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 27,23,88,783 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 33,00,085 રસી ડોઝ આપવામાં આવ્યા હતા.

આમાં શામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,01,03,317

બીજો ડોઝ

70,47,769

FLWs

પ્રથમ ડોઝ

1,70,41,025

બીજો ડોઝ

89,95,949

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

5,17,64,981

બીજો ડોઝ

11,43,777

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

7,90,19,144

બીજો ડોઝ

1,25,08,833

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,39,72,814

બીજો ડોઝ

2,07,91,174

કુલ

27,23,88,783

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728547) Visitor Counter : 191