રસાયણ અને ખાતર મંત્રાલય

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓને એમ્ફોટેરિસિન-બીની વધારાની 106300 શીશીઓ ફાળવાઈ-શ્રી ડી.વી. સદાનંદ ગૌડા


પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની કુલ 53,000 શીશીઓ પણ ફાળવવામાં આવી

Posted On: 14 JUN 2021 1:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ ટ્વીટરના માધ્યમથી ઘોષણા કરી કે લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીની વિશિષ્ટ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આજે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓમાં આ દવાની વધારાની 106300 શીશીઓ ફાળવવામાં આવી છે.

 

મંત્રીએ આગળ કહ્યું કે આજે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓને પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની કુલ 53,000 શીશીઓ પણ ફાળવવામાં આવી છે. દર્દીઓ માટે સુયોગ્ય સપ્લાય અને યોગ્ય સમયે ઈલાજને સુનિશ્ચિત કરવા માટે પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની ફાળવણી કરવામાં આવી છે.

SD/GP/JD

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1726978) Visitor Counter : 210