સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 70421 નવા કેસ સાથે 74 દિવસ પછી સૌથી ઓછો આંકડો નોંધાયો


ભારતમાં 66 દિવસ પછી સક્રિય કેસોનું ભારણ 10 લાખથી નીચે રહ્યું

એક મહિના કરતાં વધુ સમયથી દૈનિક નવા નોંધાતા કેસો કરતાં દરરોજ નવા સાજા થનારાનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે

સાજા થવાનો દર વધીને 95.43% થયો

દૈનિક પોઝિટીવિટી દર 4.72%, ત્રણ સપ્તાહથી પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો નોંધાય છે

Posted On: 14 JUN 2021 2:09PM by PIB Ahmedabad

ભારતમાં દૈનિક નવા કોવિડ કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 70421 કેસ નોંધાયા છે. દેશમાં સતત સાતમા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોનો આંકડો 1 લાખથી નીચે રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે આ પરિણામ પ્રાપ્ત થયું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001LWEU.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 9,73, 158 નોંધાયું છે. સક્રિય કેસોનું ભારણ 66 દિવસ પછી 10 લાખની નીચે જળવાઇ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 53,001 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે ફક્ત 3.30% રહી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002RTHX.jpg

 

ભારતમાં કોવિડથી સંક્રમિત થયેલા વધુને વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી સતત 32 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીને નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,19,501 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા 50000 (49,080) વધારે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003IB5V.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,81,62,947 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1,19,501 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 95.43% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004FM2Q.jpg

 

દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,92,152 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 38 કરોડ જેટલો (37,96,24,626) થઇ ગયો છે.

 

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 4.54% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 4.72% નોંધાયો છે. સતત 21 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005DGH7.jpg

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 35,32,375સત્રોનું આયોજન કરીને રસીના કુલ 25,48,49,301 ડોઝ આપવામાં આવ્યા છે.

 

 

આમાં સામેલ છે:

 

HCWs

1st Dose

1,00,51,785

2nd Dose

69,67,822

FLWs

1st Dose

1,67,57,575

2nd Dose

88,52,564

18 થી 44 વર્ષનું વયજૂથ

1st Dose

4,12,71,166

2nd Dose

7,69,575

45 થી 60 વર્ષનું વયજૂથ

1st Dose

7,57,08,102

2nd Dose

1,19,77,000

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

1st Dose

6,25,81,044

2nd Dose

1,99,12,668

કુલ

25,48,49,301

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1726965) Visitor Counter : 232