પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી ભોગ બનેલા લોકો માટે આર્થિક સહાય મંજૂર કરી

પોસ્ટેડ ઓન: 07 JUN 2021 9:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં વીજળી પડવાના કારણે જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ હતું. 

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘મારી સંવેદના એ તમામ લોકોની સાથે છે જેમણે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં વીજળી પડવાના કારણે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.’
 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી મૃત્યુ પામનારા પ્રત્યેક લોકોનાં નજીકના પરિવારજન માટે રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી અને ઘાયલો માટે રૂ. 50000 મંજૂર કર્યા છે.

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1725188) મુલાકાતી સંખ્યા : 266