પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી પ્રતાપભાઈ શાહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

પોસ્ટેડ ઓન: 06 MAY 2021 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. 

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં તેમના જાહેર જીવન તથા પત્રકારત્વ ક્ષેત્રે યોગદાનને યાદ કર્યુ હતું અને સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી મોદીએ તેમના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1716601) મુલાકાતી સંખ્યા : 210