સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રસીકરણ કવરેજ મામલે ભારત સમગ્ર દુનિયામાં ટોચના ત્રીજા ક્રમે; 94 લાખથી વધુ લોકોને રસી અપાઇ


કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જળવાઇ રહ્યો છે; કુલ પોઝિટીવ કેસમાંથી સાજા થયેલાની સંખ્યા 97% કરતાં વધારે

છેલ્લા 24 કલાકમાં 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નહીં

Posted On: 18 FEB 2021 10:52AM by PIB Ahmedabad

સમગ્ર દુનિયામાં કોવિડ-19 વિરોધી રસીકરણ હેઠળ આવરી લીધેલા સૌથી વધુ લાભાર્થીઓની સંખ્યા મામલે ભારત ત્રીજા ક્રમે આવી ગયું છે. માત્ર US અને UK એવા દેશ છે જ્યાં રસી લેનારાની સંખ્યા ભારતની સરખામણીએ વધારે છે.

18 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત હેઠળ આવરી લેવામાં આવેલા કુલ આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCW) અને અગ્ર હરોળના કર્મચારીઓ (FLW)ની સંખ્યા 94 લાખથી વધુ થઇ ગઇ છે.

આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ પ્રમાણે કુલ 1,99,305 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 94,22,228 લાભાર્થીને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 61,96,641 HCW (1લો ડોઝ), 3,69,167 HCW (2જો ડોઝ) અને 28,56,420 FLW (1લો ડોઝ) સામેલ છે.

રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જેમણે કોવિડ-19 વિરોધી રસીનો 1લો ડોઝ લીધો હોય તેવા લાભાર્થીઓને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. FLW માટે 2 ફેબ્રુઆરી 2021થી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

 

અનુક્રમ નંબર

 

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા કુલ લાભાીર્થી

1લો ડોઝ

2જો ડોઝ

કુલ ડોઝ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

4,045

182

4,227

2

આંધ્રપ્રદેશ

3,76,308

35,475

4,11,783

3

અરુણાચલ પ્રદેશ

16,613

1,574

18,187

4

આસામ

1,31,651

5,573

1,37,224

5

બિહાર

5,02,903

15,192

5,18,095

6

ચંદીગઢ

10,583

277

10,860

7

છત્તીસગઢ

3,08,551

9,829

3,18,380

8

દાદરા અને નગર હવેલી

4,143

94

4,237

9

દમણ અને દીવ

1,480

94

1,574

10

દિલ્હી

2,28,911

7,651

2,36,562

11

ગોવા

13,692

354

14,046

12

ગુજરાત

6,99,443

17,801

7,17,244

13

હરિયાણા

2,01,675

8,009

2,09,684

14

હિમાચલ પ્રદેશ

87,499

4,306

91,805

15

જમ્મુ અને કાશ્મીર

1,59,765

2,501

1,62,266

16

ઝારખંડ

2,32,671

7,541

2,40,212

17

કર્ણાટક

5,10,696

54,397

5,65,093

18

કેરળ

3,79,034

16,153

3,95,187

19

લદાખ

3,856

290

4,146

20

લક્ષદ્વીપ

1,809

115

1,924

21

મધ્યપ્રદેશ

5,97,537

0

5,97,537

22

મહારાષ્ટ્ર

7,64,965

16,835

7,81,800

23

મણીપુર

32,748

777

33,525

24

મેઘાલય

21,221

470

21,691

25

મિઝોરમ

12,976

585

13,561

26

નાગાલેન્ડ

16,502

1,750

18,252

27

ઓડિશા

4,21,142

18,248

4,39,390

28

પુડુચેરી

6,959

395

7,354

29

પંજાબ

1,12,231

3,051

1,15,282

30

રાજસ્થાન

7,44,741

15,334

7,60,075

31

સિક્કિમ

9,509

251

9,760

32

તમિલનાડુ

2,95,338

14,039

3,09,377

33

તેલંગાણા

2,79,534

53,701

3,33,235

34

ત્રિપુરા

75,565

2,361

77,926

35

ઉત્તરપ્રદેશ

9,16,568

18,394

9,34,962

36

ઉત્તરાખંડ

1,23,656

3,063

1,26,719

37

પશ્ચિમ બંગાળ

5,57,880

15,866

5,73,746

38

અન્ય

1,88,661

16,639

2,05,300

કુલ

90,53,061

3,69,167

94,22,228

 

રસીકરણના 33મા દિવસે (18 ફેબ્રુઆરી 2021) 7,932 સત્રોમાં કુલ 4,22,998 લાભાર્થીને રસી આપવામાં આવી હતી. આમાંથી 3,30,208 લાભાર્થીએ પહેલો ડોઝ જ્યારે 92,790 લાભાર્થીએ બીજો ડોઝ લીધો હતો.

રસીનો બીજો ડોઝ લેનારા કુલ લાભાર્થીઓમાંથી 58.20% લોકો 7 રાજ્યોમાંથી છે. માત્ર કર્ણાટકમાં જ 14.74% લાભાર્થી (54,397 ડોઝ)એ રસીનો બીજો ડોઝ લીધો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F43M.jpg

 

કોવિડ વિરોધી જંગમાં સુધારા તરફી આગેકૂચ સાથે ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતિપૂર્ણ વધારો થઇ રહ્યો છે. આજે આ સંખ્યા 1.06 કરોડ (1,06,56,845) નોંધાઇ છે. સાજા થવાનો દર 97.32% નોંધાયો છે. સાજા થનારાની સતત વધતી સંખ્યા અને દૈનિક ધોરણે મૃત્યુના ઘટતા આંકડાના કારણે સક્રિય કેસનું ભારણ ઓછું કરવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.

ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા (1,37,342) કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 1.25% રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11,987 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TKHK.jpg

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસના આંકડાનું વિતરણ સકારાત્મક ચિત્ર બતાવે છે. માત્ર 2 રાજ્યોમાં જ છેલ્લા 24 કલાકમાં 1000થી વધારે પોઝિટીવ કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035M2P.jpg

 

સોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં દિલ્હી, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, હિમાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, મણીપુર, મેઘાલય, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), નાગાલેન્ડ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, ત્રિપુરા, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ છે.

છેલ્લા 24 કલાકમાં, માત્ર 1 રાજ્યમાં 20થી વધારે દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043PRE.jpg

છેલ્લા 7 દિવસથી સતત દૈનિક ધોરણે નોંધાતા પોઝિટીવિટી દરમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. 1 ફેબ્રુઆરી 2021ના રોજ આ દર 1.89% હતો જે આજે ઘટીને 1.69% થયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005NZH6.jpg

 

નવા નોંધાયેલામાંથી 75% કેસ, નવા સાજા થયેલામાંથી 72% અને નવા મૃત્યુમાંથી 55% કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં છે.

નવા સાજા થયેલામાંથી 85.14% કેસ 6 રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે કેરળમાં સર્વાધિક દર્દી સાજા થયા છે જ્યાં વધુ 4,832 દર્દી સાજા થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 3,853 જ્યારે કર્ણાટકમાં વધુ 537 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006JP1O.jpg

છેલ્લા 24 કલાકમાં નવા પોઝિટીવ નોંધાયા કેસની સંખ્યા 12,881 છે.

નવા નોંધાયેલા 86.61% કેસ 6 રાજ્યોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા 4,892 પોઝિટીવ કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં નવા 4,787 જ્યારે તમિલનાડુમાં નવા 454 પોઝિટીવ કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007R9NA.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી વધુ 101 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 76.24% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 40 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 જ્યારે પંજાબમાં વધુ 10 મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008HHC9.jpg

SD/GP/BT



(Release ID: 1698993) Visitor Counter : 199