પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ન્યાયાધીશ (સેવાનિવૃત) એમ. રામા જોઈસના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 16 FEB 2021 12:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ ન્યાયાધીશ (સેવાનિવૃત) એમ. રામા જોઈસના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, “ન્યાયાધીશ (સેવાનિવૃત) એમ. રામા જોઈસ એક પ્રખર બૌદ્ધિક અને ન્યાયવિદ્દ હતા. ભારતની લોકશાહી રચનાને વધુ મજબૂત બનાવવા માટે તેમની સમૃદ્ધ બુદ્ધિપ્રતિભા અને યોગદાન માટે તેમની પ્રશંસા થઈ. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના આ દુઃખદ ઘડીમાં તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”



(Release ID: 1698371) Visitor Counter : 161