પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસ પર રેડિયો શ્રોતાઓને અભિનંદન આપ્યા

Posted On: 13 FEB 2021 10:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને શુભકામનાઓ આપી છે અને કહ્યું છે કે રેડિયો એક શાનદાર માધ્યમ છે, જે સામાજિક જોડાણને વધુ ગાઢ બનાવે છે.

વડાપ્રધાને એક ટ્વીટમાં કહ્યું, ‘વિશ્વ રેડિયો દિવસની શુભકામનાઓ. તમામ રેડિયો શ્રોતાઓને શુભકામનાઓ અને એ તમામને અભિનંદન, જેઓ રેડિયોને નવીનતમ સામગ્રી અને સંગીતથી વાગતો રાખે છે. હું વ્યક્તિગત રીતે રેડિયોના સકારાત્મક પ્રભાવનો અનુભવ કરૂં છું, જે #MannKiBaatને આભારી છે.

 

SD/GP/JD

(Release ID: 1697709) Visitor Counter : 154