પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 4 ફેબ્રુઆરીના રોજ ‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે

Posted On: 02 FEB 2021 11:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરી, 2021ના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 11 વાગે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચૌરી ચૌરા ખાતે 'ચૌરી ચૌરા' શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે. આ દિવસે ‘ચૌરી ચૌરા’ ઘટનાના 100 વર્ષ પૂરા થાય છે, જે દેશની આઝાદીની લડતની એક ઐતિહાસિક ઘટના છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ચૌરી ચૌરા શતાબ્દીને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકાર દ્વારા આયોજિત શતાબ્દી સમારોહ અને વિવિધ કાર્યક્રમો 4 ફેબ્રુઆરી, 2021થી રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં શરૂ થશે અને 4 ફેબ્રુઆરી, 2022 સુધી ચાલુ રહેશે.

 



(Release ID: 1694368) Visitor Counter : 188