પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 28 જાન્યુઆરીના રોજ કરિયપ્પા ગ્રાઉન્ડમાં એનસીસી રેલીને સંબોધિત કરશે

Posted On: 27 JAN 2021 4:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરી, 2021ના રોજ નવી દિલ્હીના કરિયપ્પા મેદાનમાં રાષ્ટ્રીય કૈડેટ કોરની રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય રક્ષા મંત્રી, રક્ષા કર્મચારીઓના પ્રમુખ અને ત્રણે સશસ્ત્ર સેવા પ્રમુખો આ અવસર પર ઉપસ્થિત રહેશે.

 

પ્રધાનમંત્રી, ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે, એનસીસી ટુકડી દ્વારા માર્ચ પાસ્ટની સમીક્ષા પણ કરશે અને આ કાર્યક્રમ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

 

SD/GP



(Release ID: 1692678) Visitor Counter : 185