સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સક્રિય કેસની સંખ્યા અત્યંત નીચલા સ્તરે લઇ જવાની આગેકૂચ જાળવી રાખી


દેશમાં કુલ સક્રિય કેસમાંથી 65% દર્દીઓ માત્ર 2 રાજ્યોમાં જ છે

8 મહિના પછી છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 131 મૃત્યુ નોંધાયા

Posted On: 25 JAN 2021 10:54AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસનું ભારણ આજે ઘટીને 1.84 લાખ (1,84,182) થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હવે માત્ર 1.73% સક્રિય કેસ સારવાર હેઠળ છે.

મોટાભાગના સક્રિય કેસની સંખ્યામાં માત્ર બે રાજ્યોમાં જ છે. દેશમાં કુલ સક્રિય કેસમાંથી 64.71% દર્દીઓ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં છે.

કુલ સક્રિય કેસમાંથી કેરળમાં 39.7% દર્દીઓ જ્યારે મહારાષ્ટ્રમાં 25% દર્દીઓ છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014FGX.jpg

છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 226 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં નવા 13,203 કેસ પોઝિટીવ નોંધાયા છે. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13,298 નોંધાઇ છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 131 દર્દીઓના મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. આ મૃત્યુઆંક છેલ્લા 8 મહિનામાં સૌથી નીચલા સ્તરે છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029668.jpg

ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યા વધીને 19,23,37,117 સુધી પહોંચી ગઇ છે.

21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની રાષ્ટ્રીય સરેરાશ (1,39,374) કરતાં વધુ સંખ્યામાં પરીક્ષણો થયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0038IDS.jpg

15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004EAKD.jpg

25 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત કુલ 16,15,504 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 694 સત્રોમાં 33,303 દર્દીઓને રસી આપવામાં આવી હતી. દેશમાં આજદિન સુધીમાં કુલ 28,614 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

Beneficiaries vaccinated

1

આંદામાન અને નિકોબાર ટાપુઓ

2,019

2

આંધ્રપ્રદેશ

1,47,030

3

અરુણાચલ પ્રદેશ

6,511

4

આસામ

13,881

5

બિહાર

76,125

6

ચંદીગઢ

1,502

7

છત્તીસગઢ

28,732

8

દાદરા અને નગર હવેલી

345

9

દમણ અને દીવ

283

10

દિલ્હી

25,811

11

ગોવા

1,561

12

ગુજરાત

78,466

13

હરિયાણા

72,204

14

હિમાચલ પ્રદેશ

13,544

15

જમ્મુ અને કાશ્મીર

11,647

16

ઝારખંડ

14,806

17

કર્ણાટક

1,91,449

18

કેરળ

53,529

19

લદાખ

558

20

લક્ષદ્વીપ

633

21

મધ્યપ્રદેશ

38,278

22

મહારાષ્ટ્ર

99,885

23

મણીપુર

2,319

24

મેઘાલય

2,236

25

મિઝોરમ

3,979

26

નાગાલેન્ડ

3,443

27

ઓડિશા

1,52,371

28

પુડુચેરી

1,478

29

પંજાબ

31,327

30

રાજસ્થાન

93,525

31

સિક્કિમ

960

32

તમિલનાડુ

61,720

33

તેલંગાણા

1,10,031

34

ત્રિપુરા

14,252

35

ઉત્તરપ્રદેશ

1,23,761

36

ઉત્તરાખંડ

10,514

37

પશ્ચિમ બંગાળ

84,505

38

અન્ય

40,284

કુલ

16,15,504

 

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.03 કરોડ (1,03,30,084) થઇ ગઇ છે જેના કારણે સાજા થવાનો દર પણ 96.83% થઇ ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે જે હાલમાં 1,01,45,902 છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 79.12% દર્દીઓ નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

સમગ્ર દેશમાં કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,173 દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 1,743 નવા દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં પણ એક દિવસમાં વધુ 704 દર્દીઓ સાજા થયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005AI7Q.jpg

 

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 81.26% દર્દીઓ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે સર્વાધિક 6,036 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 2,752 દર્દીઓ જ્યારે કર્ણાટકમાં નવા 573 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006Q1PS.jpg

 

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 131 મૃત્યુમાંથી 80.15% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 45 દર્દી મૃત્યુ પામ્યા છે. કેરળ અને દિલ્હીમાં એક દિવસમાં અનુક્રમે વધુ 20 અને 9 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

 

 

SD/GP/BT 

 



(Release ID: 1692112) Visitor Counter : 243