સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 1.85 લાખ થયું
28 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા 5,000થી ઓછી
28 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે
અંદાજે 14 લાખ લાભાર્થીઓને કોવિડ-19ની રસી આપવામાં આવી
Posted On:
23 JAN 2021 11:33AM by PIB Ahmedabad
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ સતત ઘટી રહ્યું છે. આજે આ આંકડો ઘટીને 1.85 લાખ (1,85,662) સુધી પહોંચી ગયો છે.
ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોનું ભારણ માત્ર 1.74% રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નોંધાયેલા નવા કેસોની સંખ્યા 14,256 છે જ્યારે આટલા જ સમયગાળામાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 17,130 નોંધાઇ છે. આના કારણે કુલ સક્રિય કેસોની સંખ્યામાં પણ 3,026 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
28 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા 5,000 કરતાં ઓછી નોંધાઇ છે.
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,03,00,838 થઇ ગઇ છે.
નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી આજે સાજા થવાનો દર પણ વધીને 96.82% સુધી પહોંચી ગયો છે.
સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત એકધારો વધી રહ્યો છે જે હાલમાં 1,01,15,176 છે.

દેશમાં 28 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

23 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં અંદાજે 14 લાખ (13,90,592) લાભાર્થીઓને કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત રસી આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં યોજાયેલા કુલ 6,241 સત્રોમાં 3,47,058 લોકોને રસી આપવામાં આવ્યા છે. આજદિન સુધીમાં કુલ 24,408 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થીની સંખ્યા
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
1,466
|
2
|
આંધ્રપ્રદેશ
|
1,33,298
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
5,956
|
4
|
આસામ
|
13,881
|
5
|
બિહાર
|
63,620
|
6
|
ચંદીગઢ
|
1,157
|
7
|
છત્તીસગઢ
|
22,259
|
8
|
દાદરા અને નગર હવેલી
|
262
|
9
|
દમણ અને દીવ
|
94
|
10
|
દિલ્હી
|
18,844
|
11
|
ગોવા
|
946
|
12
|
ગુજરાત
|
46,150
|
13
|
હરિયાણા
|
62,142
|
14
|
હિમાચલ પ્રદેશ
|
9,609
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
9,827
|
16
|
ઝારખંડ
|
14,806
|
17
|
કર્ણાટક
|
1,84,699
|
18
|
કેરળ
|
47,293
|
19
|
લદાખ
|
401
|
20
|
લક્ષદ્વીપ
|
552
|
21
|
મધ્યપ્રદેશ
|
38,278
|
22
|
મહારાષ્ટ્ર
|
74,960
|
23
|
મણીપુર
|
1,923
|
24
|
મેઘાલય
|
2,078
|
25
|
મિઝોરમ
|
3,657
|
26
|
નાગાલેન્ડ
|
3,443
|
27
|
ઓડિશા
|
1,30,007
|
28
|
પુડુચેરી
|
1,097
|
29
|
પંજાબ
|
21,340
|
30
|
રાજસ્થાન
|
43,947
|
31
|
સિક્કિમ
|
960
|
32
|
તમિલનાડુ
|
51,651
|
33
|
તેલંગાણા
|
1,10,031
|
34
|
ત્રિપુરા
|
14,252
|
35
|
ઉત્તરપ્રદેશ
|
1,23,761
|
36
|
ઉત્તરાખંડ
|
10,514
|
37
|
પશ્ચિમ બંગાળ
|
84,505
|
38
|
અન્ય
|
36,926
|
કુલ
|
13,90,592
|
નવા સાજા થયેલા કેસોમાંથી 84.30% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,108 નવા દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3,419 દર્દીઓ જ્યારે કર્ણાટકમાં વધુ 890 દર્દીઓ સાજા થઇ ગયા છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 79.99% દર્દીઓ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળી આવ્યા છે.
કેરળમાં દૈનિક ધોરણે નવા દર્દીઓની સંખ્યા સતત સર્વાધિક નોંધાઇ રહી છે. અહીં એક દિવસમાં વધુ 6,753 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં 2,779 જ્યારે તમિલનાડુમાં 574 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 152 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 75.66% દર્દીઓ આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (50) નોંધાયો છે. ત્યારબાદ, સૌથી કેરળમાં સૌથી વધુ 19 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
(Release ID: 1691642)
Visitor Counter : 220
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam