સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સક્રિય કેસના ભારણમાં સતત ઘટાડો યથાવત; 136 દિવસ પછી 4.10 લાખની નીચે જવા પામ્યું


છેલ્લા 8 દિવસથી દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધુ

Posted On: 05 DEC 2020 11:13AM by PIB Ahmedabad

ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ આજે 4.10 લાખ (4,09,689)ની નીચે આવી ગયું છે. આ 136 દિવસ પછીનું સૌથી નીચું છે. 22 જુલાઈ, 2020ના રોજ કુલ સક્રિય કેસ 4,11,133 હતા.

નવા કેસ કરતા સાજા થયેલા કેસની વધુ સંખ્યા દ્વારા આ શક્ય બન્યું છે, જેણે સક્રિય કેસના ભારણના સંપૂર્ણ ઘટાડાની ખાતરી આપી છે. ભારતના વર્તમાન સક્રિય કેસનું ભારણ ભારતના કુલ પોઝિટિવ કેસના માત્ર 4.26% છે. સાજા થયેલા કેસની નવી સંખ્યા પગલે કુલ સક્રિય કેસમાં 6,393નો ચોખ્ખો ઘટાડો થયો છે.

દેશમાં છેલ્લા આઠ દિવસથી દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા દૈનિક નવા કેસની સંખ્યા કરતા વધુ નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક નવા કેસની સંખ્યા 36,652 નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 42,533 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી.

સતત સાજા થયેલા કેસની સંખ્યામાં થતા વધારાના લીધે સાજા થવાનો દર સુધરીને 94.28% થયો છે.

કુલ સાજા થયેલા કેસ 9,058,822 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 86.50 લાખની નજીક છે અને હાલમાં તે 8,649,133 છે.

નવા સાજા થયેલા કેસમાંથી 78.06% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

મહારાષ્ટ્રમાં નવા સાજા થયેલા 6,776 કેસ સાથે એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઈ છે. કેરળમાં 5,496 લોકો સાજા થયા, ત્યારબાદ દિલ્હીમાં 4,862 લોકો સાજા થયા છે.

WhatsApp Image 2020-12-05 at 10.12.04 AM.jpeg

નવા કેસમાંથી 76.90% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

કેરળમાં સૌથી વધુ દૈનિક નવા 5,718 કેસ નોંધાયા છે. તે પછી મહારાષ્ટ્રમાં 5,229 નવા કેસ અને દિલ્હીમાં 4,067 નવા કેસ નોંધાયા છે.

WhatsApp Image 2020-12-05 at 10.10.04 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં 512 લોકો મૃત્યુ પામ્યા છે.

નવા મૃત્યુઆંકમાંથી 78.32% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (127) મૃત્યુ થયા છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે દૈનિક 73 અને 52 લોકોના મૃત્યુ થાય છે.

WhatsApp Image 2020-12-05 at 10.11.08 AM.jpeg

 

SD/GP/BT



(Release ID: 1678582) Visitor Counter : 157