પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 25 નવેમ્બરના રોજ લખનઉ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષના સ્થાપના દિનની ઉજવણીમાં સહભાગી થશે

Posted On: 23 NOV 2020 1:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજના 5:30 કલાકે લખનઉ યુનિવર્સિટીના 100મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. યુનિવર્સિટીની સ્થાપના 1920માં કરવામાં આવી હતી અને તેનું શતાબ્દી (100મુ) વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી આ પ્રસંગે યુનિવર્સિટીના શતાબ્દી સ્મરણ સિક્કાનું અનાવરણ કરશે. સમારોહ દરમિયાન ઈન્ડિયા પોસ્ટની વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તથા તેનું વિશેષ કવર પણ બહાર પાડશે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT



(Release ID: 1675052) Visitor Counter : 187