પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 13 નવેમ્બર 2020ના રોજ જામનગર અને જયપુરમાં ભવિષ્ય માટે તૈયાર એવી બે આયુર્વેદ સંસ્થાઓનું ઉદ્ઘાટન કરશે

Posted On: 11 NOV 2020 3:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઇટીઆરએ) અને જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનઆઈએ) નું ઉદ્ઘાટન 5મા આયુર્વેદ દિવસ (એટલે કે) 13 નવેમ્બર, 2020ના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આ સંસ્થાઓ 21મી સદીમાં આયુર્વેદની વૃદ્ધિ અને વિકાસમાં વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.   

પૃષ્ઠભૂમિ:

ધનવંતરી જયંતિના દિવસે 2016થી દર વર્ષે આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 13 નવેમ્બર 2020ના રોજ ઉજવાશે. આયુર્વેદ દિવસ એક ઉત્સવ અથવા ઉજવણી કરતાં વ્યવસાય તથા સમાજને ફરીથી સમર્પિત થવાનો પ્રસંગ છે. આ વર્ષના ‘આયુર્વેદ દિવસ’ ની ઉજવણી કોવિડ-19 રોગચાળાના સંચાલનમાં આયુર્વેદની સંભવિત ભૂમિકા પર કેન્દ્રિત હશે.

ભારતના જાહેર આરોગ્ય પડકારો માટે અસરકારક અને પરવડે તેવા ઉપાયો પ્રદાન કરવા માટે આરોગ્ય સંભાળની આયુષ પ્રણાલીની અપાર બિન-ઉપયોગી સંભાવનાનો ઉપયોગ એ સરકારની અગ્રતા છે. પરિણામે, આયુષ શિક્ષણનું આધુનિકીકરણ એ પણ એક અગ્રતા છે. છેલ્લા 3-4 વર્ષમાં આ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. રાષ્ટ્રને સમર્પિત જામનગરમાં આઇટીઆરએ રાષ્ટ્રીય મહત્વના દરજ્જાની સંસ્થા તરીકે અને જયપુરમાં એનઆઈએ, ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ફક્ત આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણમાં જ નહીં, પરંતુ પરંપરાગત દવાઓના ઉત્ક્રાંતિમાં પણ ઐતિહાસિક પગલું છે. જે તેમને આયુર્વેદ શિક્ષણના ધોરણને અપગ્રેડ કરવાની સ્વાયતતા પ્રદાન કરશે, ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ મુજબ વિવિધ અભ્યાસક્રમો બનાવશે અને વધુમાં વધુ પુરાવા પેદા કરવા માટે અને આધુનિક સંશોધન માટે ઉત્તમ બનાવશે.

 

SD/GP/BT



(Release ID: 1671917) Visitor Counter : 250