પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું

Posted On: 29 OCT 2020 2:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાન બદલ દુ:ખ વ્યક્ત કર્યું છે.

શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે "આપણા પ્રિય અને આદરણીય કેશુભાઇનું અવસાન થયું છે... હું ખૂબ દુ:ખી અને ઉદાસ થયો છું. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક શ્રેષ્ઠ નેતા હતા. તેમનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીના સશક્તિકરણ માટે સમર્પિત હતું.

કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા ગુજરાત રાજ્યના બધા જ ખૂણાઓનો પ્રવાસ કર્યો. તેમણે કટોકટીનો પૂરેપૂરો પ્રતિકાર કર્યો. ખેડૂત કલ્યાણના પ્રશ્નો તેમના હૃદયની નજીક હતા. તેઓ ધારાસભ્ય, સાંસદ, મંત્રી અથવા મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સુનિશ્ચિત કર્યું કે ઘણા બધા ખેડૂત મૈત્રીપૂર્ણ પગલાં પસાર થાય.

કેશુભાઈએ મારા સહિત ઘણા યુવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપીને તૈયાર કર્યા. દરેક વ્યક્તિને તેમનો અનુકૂળ સ્વભાવ ખૂબ ગમતો. તેમનું અવસાન એક પૂરી ના શકાય તેવી ક્ષતિ છે. આપણે બધાં આજે દુ:ખી છીએ. મારી સંવેદના તેમના પરિવાર અને શુભેચ્છકો સાથે છે. તેમના પુત્ર ભરત સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ."

 

SD/GP/BT



(Release ID: 1668392) Visitor Counter : 138