સંરક્ષણ મંત્રાલય

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 88માં વાયુસેના દિવસ નિમિત્તે એર વોરિયર્સને શુભેચ્છા પાઠવી

Posted On: 08 OCT 2020 12:48PM by PIB Ahmedabad

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે ભારતીય વાયુસેના (આઈએએફ) ના 88મા વાયુસેના દિવસ -2020ના પ્રસંગે એર વોરિયર્સ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે એક સંદેશમાં કહ્યું કે, "સમર્પણ, ત્યાગ અને શ્રેષ્ઠતાના 88 વર્ષ આઈએએફની યાત્રાને ચિહ્નિત કરે છે જે વર્તમાન સમય સાથે તાલમેલ મેળવતા જબરદસ્ત અને ઘાતક શક્તિ માનવામાં આવે છે."

રક્ષા મંત્રીએ વ્યક્ત કર્યું હતું કે, રાષ્ટ્રને વાદળી રંગના યુનિફોર્મમાં સજ્જ તેના પુરુષો અને મહિલાઓ પર ગર્વ છે અને આઈએએફના પરાક્રમને સલામ કરે છે કારણ કે તે પડકારોનો સામનો કરવા અને વિરોધીઓને રોકવા માટે તૈયાર છે. શ્રી રાજનાથ સિંહે ટ્વીટ કરતા કહ્યું કે, "અમે આધુનિકીકરણ અને સ્વદેશીકરણ દ્વારા આઈએએફની લડાઇ ક્ષમતા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ."

રક્ષા મંત્રીએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, આઈએએફ હંમેશા કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રની વાયુ સીમાનું રક્ષણ કરશે, વધુમાં કહ્યું કે, “આપ સૌ માટે ભૂરા આકાશની અને સુરક્ષિત ઉતરાણની ઇચ્છા રાખીએ છીએ.”

 

SD/GP/BT



(Release ID: 1662729) Visitor Counter : 144