સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 51,255 દર્દીઓ સાજા થયા


કુલ 11.5 લાખ દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર 65.44% ની નવી ટોચ પર પહોંચ્યો

2.13% સાથે મૃત્યુદરમાં સતત ઘટાડો ચાલુ રહ્યો

Posted On: 02 AUG 2020 12:40PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં ભારતમાં આશ્ચર્યજનક રીતે 51,000થી વધુ દર્દીઓ સાજા થયા. 51,225 દર્દીઓને સાજા થઈ તેમને રજા મળતા ભારતમાં કોવિડ-19માંથી કુલ સજા થયેલા દર્દીઓની સંખ્યા 11,45,629 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સૌથી વધુ એક દિવસના વધારા સાથે, સાજા થવાનો દર 65.44%ની ઉંચી સપાટીએ જોવા મળ્યો છે. આનો અર્થ એ કે, કોવિડ-19માંથી વધુને વધુ દર્દીઓ સાજા થતા તેમને રજા મળી છે.

કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કોવિડ-19 વ્યવસ્થાપન વ્યૂહરચનાના સંયુક્ત અમલીકરણ અને તમામ મોરચાના આરોગ્ય અને અન્ય કાર્યકરો અને કોવિડ-19 યોદ્ધાઓના નિ:સ્વાર્થ બલિદાને સુનિશ્ચિત કર્યું છે કે, સાજા થવાનો દર સતત વધી રહ્યો છે.

સાજા થયેલ દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેના અંતરમાં સતત વધારો જોવા મળ્યો છે. 10મી જૂન 2020 ના રોજ, પ્રથમ વખત, સાજા થયેલ દર્દીઓની સંખ્યા 1,573ના તફાવત સાથે સક્રિય કેસ કરતાં વધી ગઈ હતી, જે આજે વધીને 5,77,899 થઈ ગઈ છે. સક્રિય કેસ એ ભારતના વાસ્તવિક કેસનું ભારણ છે અને હાલમાં સક્રિય કેસ (5,67,730) કુલ કેસના 32.43% જેટલા છે અને તે બધા હોસ્પિટલોમાં અથવા હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ છે.

કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચનાનું સફળતાપૂર્વક અમલીકરણ, સઘન પરીક્ષણો અને દેખરેખના અભિગમના વ્યાપક ધોરણો પર આધારિત પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલના પરિણામે સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે અને મૃત્યુદરમાં ક્રમશ: ઘટાડો થયો છે. વૈશ્વિક સરેરાશની તુલનામાં ભારતનો મૃત્યુદર (સીએફઆર) 2.13% સાથે સૌથી નીચો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

SD/GP/BT

 



(Release ID: 1643005) Visitor Counter : 232