સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


કેન્દ્રની ટીમ ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુની મુલાકાત લેશે

કુલ 75 લાખથી વધુ સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા

દર્દીઓ સાજા થવાનો દર વધીને 57.43% નોંધાયો

Posted On: 25 JUN 2020 2:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી લવ અગ્રવાલની અધ્યક્ષતામાં કેન્દ્રની એક ટીમ આગામી 26 થી 29 જૂન 2020 દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુની મુલાકાત લેશે. ટીમ રાજ્યના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે અને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે હાલમાં ચાલી રહેલા પ્રયાસોને વધુ મજબૂત કરવા માટે તેમની સાથે સંકલન કરશે.

અત્યારે દેશમાં કોવિડ-19ના પરીક્ષણની લેબોરેટરીઓની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને હાલમાં પરીક્ષણ લેબોરેટરીની સંખ્યા વધીને 1007 સુધી પહોંચી ગઇ છે. આમાં 734 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 273 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.

તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 559 (સરકારી: 359 + ખાનગી: 200)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 364 (સરકારી: 343 + ખાનગી: 21)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 84 (સરકારી: 32 + ખાનગી: 52)

જાન્યુઆરી 2020માં ખૂૂબ મર્યાદિત સંખ્યામાં કોવિડ-19ના પરીક્ષણો થતા હતા ત્યાંથી વધીને છેલ્લા 24 કલાકમાં 2,07,871 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં 75 લાખથી વધુ પરીક્ષણો થતા કુલ આંકડો 75,60,782 સુધી પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી 13,012 દર્દીઓ સાજા થઇ ગયા છે. સાથે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,71,696 દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર વધીને 57.43% નોંધાયો છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,86,514 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

હાલમાં ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ કોવિડના કેસની સંખ્યા 33.39 છે જેની સરખામણીએ સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ કોવિડના કેસની સરરેશ સંખ્યા 120.21 છે. તેમજ પ્રત્યેક એક લાખ લોકોએ સમગ્ર દુનિયામાં સરેરાશ મૃત્યુદર 6.24 છે જ્યારે તેની સરખામણીએ ભારતમાં 1.06 મૃત્યુ/લાખ વ્યક્તિ છે. દુનિયાના સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક ભારત છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1634254) Visitor Counter : 222