સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસો ધરાવતા દેશોમાંથી એક ભારત છે, સાજા થયેલા દર્દીઓ તેમજ સક્રિય કેસો વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે

Posted On: 22 JUN 2020 1:12PM by PIB Ahmedabad

WHOનો 21 જૂન 2020ના રોજનો 153મો પરિસ્થિતિનો અહેવાલ સુચવે છે કે, ભારતમાં વસ્તીની ગીચતા ઘણી વધારે હોવા છતાં, સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાંથી એક ભારત છે. ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ સરેરાશ 30.04 કેસ છે જ્યારે વૈશ્વિક સરેરાશ 114.67 છે. અમેરિકામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સરેરાશ 671.24 કેસ છે જ્યારે જર્મની, સ્પેન અને બ્રાઝીલમાં આંકડો અનુક્રમે 583.88, 526.22 અને 489.42 છે.

 

ભારતમાં નોંધાયેલો ઓછા કેસોનો આંકડો કોવિડ-19ના નિયંત્રણ, નિરાકરણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને ભારત સરકારના તબક્કાવાર, પૂર્વ-સક્રિય અને પૂર્વ-અસરકારક અભિગમનું પરિણામ છે.

 

અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસની બીમારીમાંથી કુલ  2,37,195 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની બીમારીમાંથી 9,440 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 55.77% નોંધાયો છે.

 

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,74,387 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ અને હાલમાં સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે નીચે આપેલા ગ્રાફ પરથી તે જોઇ શકાય છે. આજે દેશમાં સક્રિય કેસોની સંખ્યા કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 62,808 વધુ નોંધાઇ છે.

 

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં સરકારી લેબોરેટરીની સંખ્યા વધીને 723 થઇ ગઇ છે અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 262 કરવામાં આવી છે જેથી દેશમાં અત્યારે કુલ 985 લેબોરેટરીમાં પરીક્ષણની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

 

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 549 (સરકારી: 354 + ખાનગી: 195)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 359 (સરકારી: 341 + ખાનગી: 18)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 77 (સરકારી: 28 + ખાનગી: 49)

 

 

અત્યારે દેશમાં દરરોજ કોવિડ-19ના પરીક્ષણની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,43,267 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 69,50,493 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

 

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને

વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો

ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1633324) Visitor Counter : 234