પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'રાજ્ય સ્થાપના દિવસ' પર તેલંગાણાના લોકોને શુભેચ્છાઓ પાઠવી,તેમજ આંધ્રપ્રદેશના લોકોને શુભેચ્છાઓ આપી

Posted On: 02 JUN 2020 9:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'રાજ્ય સ્થાપના દિવસ' પર તેલંગાણાના લોકો ને શુભેચ્છાઓ પાઠવી, પ્રધાનમંત્રીએ સાથે સાથે આંધ્રપ્રદેશના લોકોને પણ શુભેચ્છાઓ આપી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું " તેલંગાણાના લોકોને એમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ, રાજ્યના લોકો વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે, રાજ્ય ભારતના વિકાસને નવી ગતિ આપવામાં ખુબ મોટું યોગદાન આપી રહ્યું છે, હું તેલંગાણાના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મંગલ કામના કરું છું."

 

આંધ્રપ્રદેશના લોકોને શુભકામનાઓ, ખુબ મેહનત અને સાહસ રાજ્યની સંસ્કૃતિનો પર્યાય છે. ભારતના વિકાસમાં રાજ્યની ભૂમિકાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. રાજ્યના નાગરિકોને એમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ."

 

GP/DS



(Release ID: 1628617) Visitor Counter : 224